રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબી નજીક અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીના ભરતનગર ગામ પાસે રોયલ વે બ્રિજ પાસે અજાણ્યા યુવાનને ચોર સમજીને પકડવામાં આવ્યો હતો. અને માર માર્યો હતો જે યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને મોરબી તાલુકા પોલીસે હત્યાના આ ગુનામાં બે આરોપીને પકડ્યા છે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબીના ભરતનગર ગામ પાસે થોડા દિવસો પહેલા રાત્રિના સમયે આંટાફેરા મારતા એક શખ્સને સ્થાનિક લોકોએ ચોર સમજીને પકડ્યો હતો અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો દરમ્યાન તે યુવાને ભગવાનો પ્રયાસ કર્યો હતો તેવામાં પોલીસે ત્યાં આવી હતી અને તે યુવાનને માથામાં ઇજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા. અને ત્યાં સારવાર દરમિયાન તેને અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી બનાવ હત્યામાં પલટયો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં આરોપી આનંદ વિઠ્ઠલભાઈ ભૂવા રહે. ભરતનગર અને ગુજારીયાભાઈ વેલજિયાભાઈ અસ્તિયા રહે. મૂળ એમપી હાલ ભરતનગર વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મળી નથી જેથી તેની ઓળખ મેળવવા માટેની તજવીજ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News