મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો
SHARE







મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો
મોરબી તાલુકામાં પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે મોરબી સીટી તાલુકા પોલીસે ભારતીયદંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) એન તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬, ૧૮ મુજબ આરોપી શકિતભાઈ હસમુખભાઈ ચોવસીયાની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપી શિકતભાઈ હસમુખભાઈ ચોવસીયાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ . આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ રાખેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સંજયચંદુ વિ. સીબીઆઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.

