મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી

મોરબીના રહીશ અને બોનીપાર્ક પાસે રહેતા ધનજીભાઈ ડાયાભાઇ શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નાખવા માટે ઇન્ટીફાઇ સોલાર પ્રા.લી.-જામનગરને રૂા.૧,૪૮,૨૮૭ ચેક દ્વારા ભરતા આ કંપનીએ નિયત સમયમર્યાદામાં સોલાર પેનલ ફીટ નહીં કરી આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરવામાં આવ્યો હતો.નામદાર કોર્ટે ધનજીભાઈને તા.૨૪-૫-૨૪ થી ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.૧૦,૦૦૦ (દસ હજાર) અન્ય ખર્ચ સાથે રૂા. ૧,૪૮,૨૮૭ ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે બોનીપાર્કની બાજુમાં રહેતાં ધનજીભાઈ ડી.શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નખાવવા માટે જામનગરની ઇન્ટીફાઇ સોલાર કંપનીને ચેક દ્વારા રૂા ૧,૪૮,૨૮૭ રૂપિયા ભરેલ અને ૩૦ દિવસમાં સોલાર પેનલ ફીટ થઇ જશે તેવી બાંહેધરી કંપનીએ આપેલ પરંતુ સમય મર્યાદામાં સોલાર પેનલ ફીટ ન કરી અને રૂપિયા પરત આપેલ નહીં તેથી ધનજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.ગ્રાહક અદાલતે ઘનજીભાઈને રૂા.૧,૪૮,૨૮૭ અને રૂા.૧૦,૦૦૦ અન્ય ખર્ચના કુલ ખર્ચ રૂા.૧,૫૮, ૨૮૭/- ૯ ટકાના વ્યાજ સાથે તા.૨-૫-૨૪ થી ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News