મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી


SHARE















મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી

મોરબીના રહીશ અને બોનીપાર્ક પાસે રહેતા ધનજીભાઈ ડાયાભાઇ શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નાખવા માટે ઇન્ટીફાઇ સોલાર પ્રા.લી.-જામનગરને રૂા.૧,૪૮,૨૮૭ ચેક દ્વારા ભરતા આ કંપનીએ નિયત સમયમર્યાદામાં સોલાર પેનલ ફીટ નહીં કરી આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરવામાં આવ્યો હતો.નામદાર કોર્ટે ધનજીભાઈને તા.૨૪-૫-૨૪ થી ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.૧૦,૦૦૦ (દસ હજાર) અન્ય ખર્ચ સાથે રૂા. ૧,૪૮,૨૮૭ ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે બોનીપાર્કની બાજુમાં રહેતાં ધનજીભાઈ ડી.શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નખાવવા માટે જામનગરની ઇન્ટીફાઇ સોલાર કંપનીને ચેક દ્વારા રૂા ૧,૪૮,૨૮૭ રૂપિયા ભરેલ અને ૩૦ દિવસમાં સોલાર પેનલ ફીટ થઇ જશે તેવી બાંહેધરી કંપનીએ આપેલ પરંતુ સમય મર્યાદામાં સોલાર પેનલ ફીટ ન કરી અને રૂપિયા પરત આપેલ નહીં તેથી ધનજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.ગ્રાહક અદાલતે ઘનજીભાઈને રૂા.૧,૪૮,૨૮૭ અને રૂા.૧૦,૦૦૦ અન્ય ખર્ચના કુલ ખર્ચ રૂા.૧,૫૮, ૨૮૭/- ૯ ટકાના વ્યાજ સાથે તા.૨-૫-૨૪ થી ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News