મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી


SHARE













મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી

રક્ષાબંધનના દિવસે મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા ભૂદેવો ત્યાં આવ્યા હતા અને પૂજનતર્પણ સહીતની વિધિ કર્યા બાદ સમૂહમાં જનોઈ બદલાવી હતી.

મોરબીમાં રહેતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ હતું કે, શનિવારે રક્ષાબંધનના દિવસે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિપૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રહેતા ઘણા ભૂદેવો જોડાયા હતા અને આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલાવી હતી. અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.






Latest News