મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો ઘોર કળયુગ: મોરબીના ઘૂટું ગામે દીકરાએ માતાને ગાળો આપીને છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી ટંકારા ના બંગાવડી ગામે ઝાડની ડાળી ઉપરથી નીચે પડતા હતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે


SHARE











મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે

શક્તિપીઠ અંબા ધામમાં ભાદરવી પૂનમે શીશ ઝૂકાવવા માટે દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેવી જ રીતે મોરબીથી છેલ્લા ૨૭ વર્ષથી શ્રી અંબિકા પદયાત્રા સંઘ અંબાજી જાય છે અને તેની સાથે ઘણા લોકો જોડાય છે

આ વર્ષે તા ૨૭ ને બુધવારે અંબાજી માતાજીના ધામ સુધી જવા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવશે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા કરવામાં આવે છે. વધુમાં આયોજકે જણાવ્યુ છે કે, તા. ૨૭ ના રોજ સવારે માઈ ભક્તોની મોટી સંખ્યામાં વાજતે ગાજતે જય અંબેના નાદ સાથે મોરબીથી સંઘ સાથે રવાના થશે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ સાથે પદયાત્રા સંઘ રવાના થશે સેવાગણમાં સતીષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, રસોડા વિભાગમાંથી ધનજીભાઈ કાવર, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવાર દર વર્ષની જેમ સેવાકાર્યમાં જોડાયેલ છે






Latest News