મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે


SHARE











મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે

શક્તિપીઠ અંબા ધામમાં ભાદરવી પૂનમે શીશ ઝૂકાવવા માટે દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેવી જ રીતે મોરબીથી છેલ્લા ૨૭ વર્ષથી શ્રી અંબિકા પદયાત્રા સંઘ અંબાજી જાય છે અને તેની સાથે ઘણા લોકો જોડાય છે

આ વર્ષે તા ૨૭ ને બુધવારે અંબાજી માતાજીના ધામ સુધી જવા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવશે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા કરવામાં આવે છે. વધુમાં આયોજકે જણાવ્યુ છે કે, તા. ૨૭ ના રોજ સવારે માઈ ભક્તોની મોટી સંખ્યામાં વાજતે ગાજતે જય અંબેના નાદ સાથે મોરબીથી સંઘ સાથે રવાના થશે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ સાથે પદયાત્રા સંઘ રવાના થશે સેવાગણમાં સતીષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, રસોડા વિભાગમાંથી ધનજીભાઈ કાવર, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવાર દર વર્ષની જેમ સેવાકાર્યમાં જોડાયેલ છે






Latest News