ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના રફાળેશ્વર ગામે નશાની ટેવ વાળી મહિલાની લાકડાનો ઘોકો મારીને હત્યા, બે સગી ભાણી સહિત ચાર સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે નશાની ટેવ વાળી મહિલાની લાકડાનો ઘોકો મારીને હત્યા, બે સગી ભાણી સહિત ચાર સામે ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે માતાની સાથે રહેતી મહિલા કે જેને નશો કરવાની કુટેવ હોય અને તે બાબતને લઈને અવારનવાર તેને ઘરમાં અને પાડોશમાં ઝઘડા થતા હતા.દરમિયાનમાં ગઈકાલે તે મહિલાને તેની બે સગી ભાણેજ તથા પાડોશમાં રહેતા અન્ય બે શખ્સો દ્વારા ઝઘડો કરીને દોરડા વડે ખાટલામાં બાંધીને લાકડાના ધોકા વડે માથામાં માર મારવામાં આવ્યો હતો અને પુરાવાનો નાશ કરવા માટે દોરડું સળગાવી દેવામાં આવ્યું હતું.જે બાબતે મૃતક મહિનાની માતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથક ખાતે એટ્રોસિટી, મર્ડર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.જેની આગળની તપાસ ડીવીયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઇ સોલંકી નામના 75 વર્ષના વૃદ્ધા દ્વારા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે.રફાળેશ્વર, નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે.ઘનશ્યામગઢ તા.હળવદ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ રહે.પાનેલી તથા હુશેન ફિરોજભાઈ જુણેજા રહે.રફાળેશ્વર નામના ચાર લોકો સામે ઉપરોક્ત બાબતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મરણ જનાર ફરીયાદીની પુત્રી લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડ કે જેના છૂટાછેડા થયા બાદ પોતાની સાથે રહેતી હોય અને તેણીને નશો કરવાની કુટેવ હોય તે બાબતે અવરનવાર નશાની હાલતમાં માથાકૂટ ઝઘડા કરતી હતી.દરમિયાનમાં તા.૨૪ ના રોજ મરણ જનાર લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડએ નશો કરેલ હોય અને નશાની હાલતમાં એલફેલ બોલતા હોય અને ઝઘડો કરતા હોય તે બાબતનો રોષ રાખીને પ્રથમ હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ દ્વારા તેણીના માથામાં લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો બાદમાં મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડએ દોરડું આપ્યું હતું અને તે દોરડા વડે હીનાબેન રાઠોડ અને હુશેન ફિરોજભાઈ જુણેજા દ્વારા મૃતક  લક્ષ્મીબેનને ખાટલામાં સુવડાવીને બાંધી દેવામાં આવ્યા હતા અને ધોકા વડે ફટકારવામાં આવ્યા હતા.બાદમાં પુરાવાઓનો નાશ કરવા માટે દોરડું સળગાવવામાં આવ્યું હતું.આ સમગ્ર ઘટનાક્રમમાં નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ દ્વારા પણ મદદગારી કરવામાં આવેલી હોય હાલ મૃતક લક્ષ્મીબેન રાઠોડની માતા કાંતાબેન સોલંકી દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે હીનાબેન રાઠોડ, મનોજ રાઠોડ, નર્મદાબેન રાઠોડ અને હુશેન જુણેજા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી દ્વારા એટ્રોસિટી તથા મર્ડર સહિતની કલમો હેઠળ ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે લક્ષ્મીબેન રાઠોડની હત્યા કરવામાં સંડોવાયેલ હીનાબેન રાઠોડ તથા નર્મદાબેન રાઠોડ મૃતકના સગા બહેનના દીકરીઓ એટલે કે સગી ભાણેજો થતી હોય હાલ ચારેય સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આંગળી તપાસ ચલાવવામાં આવી રહી છે.

 






Latest News