મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે રોડ સાઈડના દબાણ દૂર કરાયા


SHARE













મોરબી મહાપાલિકાની ટીમે રોડ સાઈડના દબાણ દૂર કરાયા

મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાએ મોરબી મનપાની હદ વિસ્તારમાં આવતા વિસ્તારોમાથી અનધિકૃત રીતે કરવામાં આવેલા દબાણો દૂર કર્યા હતા. જે અંતર્ગત મોરબીના શનાળા રોડ, મહેન્દ્રનગર ગામ, જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દુર કરવાની કામગીરી દબાણ શાખાએ કામગીરી કરી હતી.

મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા અનધિકૃત કરેલ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મોરબી મનપામાં સમાવિષ્ટ થતા સરદારબાગથી ઉમિયા સર્કલ, ગેંડા સર્કલ થી મહેન્દ્રનગર ગામ, નેહરુ ગેટ થી જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મનપા ની એસ્ટેટ અને દબાણ શાખાએ 22 અનધિકૃત દબાણ દૂર કરી સમગ્ર રોડને ખુલ્લો કર્યો હતો. આ રોડ પર દબાણ કરતા લોકો સમક્ષ દંડ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મનપાએ અંદાજિત 8700 જેટલી રકમ અનધિકૃત દબાણ કરનાર પાસેથી વસૂલ કર્યો હતો. આ કામગીરીથી આ વિસ્તારમાંથી પસાર થતાં રાહદારીઓ અડચણ મુક્ત વાહન વ્યવહાર કરી શકશે. વધુમાં મોરબી મહાપાલિકાની દબાણ શાખા દ્વારા રવાપર રોડથી લીલાપર ચોકડી, GIDC રોડ તેમજ સ્વાગત ચોકડીથી રવાપર ગામ તરફ ગેરકાયદેસર હોડિંગ/ કિઓસ્ક દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 60 કીઓસ્ક અને 10 હોડિંગ્સ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેવી માહિતી અધિકારી આપેલ છે.






Latest News