મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો

સ્વચ્છ મોરબી, સ્વચ્છ ભારત અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જયંતિ ઉજવણીથી ગાંધીજીના સ્વચ્છતાના વિચારો વિદ્યાર્થીઓ જાણતા થાય, બાળકોમાં પર્યાવરણનું જતન કરવાનો ગુણ વિકસે, સમાજમાં સફાઈ વિશે જાગૃતતા કેળવાય તે માટે નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રવાપર રોડ પર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી સફાઈ અભિયાન ચલાવી ગંદકી દૂર કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ શ્રમનું મહત્વ સમજ્યા હતા અને પોતે સ્વસ્છતા જાળવશે અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આ અભિયાનમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સુપરવાઈઝર મનોજભાઈ જોષી અને માધ્યમિક વિભાગના મુખ્ય શિક્ષક કેતનભાઈ વાછાણી, રવિભાઈ સાણજા અને પ્રતિક્ષાબેન મહેતાએ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા.






Latest News