મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો

સ્વચ્છ મોરબી, સ્વચ્છ ભારત અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જયંતિ ઉજવણીથી ગાંધીજીના સ્વચ્છતાના વિચારો વિદ્યાર્થીઓ જાણતા થાય, બાળકોમાં પર્યાવરણનું જતન કરવાનો ગુણ વિકસે, સમાજમાં સફાઈ વિશે જાગૃતતા કેળવાય તે માટે નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રવાપર રોડ પર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી સફાઈ અભિયાન ચલાવી ગંદકી દૂર કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ શ્રમનું મહત્વ સમજ્યા હતા અને પોતે સ્વસ્છતા જાળવશે અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આ અભિયાનમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સુપરવાઈઝર મનોજભાઈ જોષી અને માધ્યમિક વિભાગના મુખ્ય શિક્ષક કેતનભાઈ વાછાણી, રવિભાઈ સાણજા અને પ્રતિક્ષાબેન મહેતાએ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા.




Latest News