મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષાનું રોપણ કરીને પર્યાવરણ દિવસ ઉજવાયો


SHARE







મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષાનું રોપણ કરીને પર્યાવરણ દિવસ ઉજવાયો

મોરબી નગરપાલિકા, લાયન્સ કલબ તેમજ પર્યાવરણ પ્રેમી એનજીઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તેના ભાગરૂપે નાની વાવડી રોડ ઉપર ડીવાઈડરમાં ફૂલછોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ પ્રોજેક્ટમાં વ્યસન મુક્તિના પ્રણેતા ડો. સતીષભાઈ પટેલ, નગરપાલિકાના અધિકારીઓ તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી મણિલાલ જે. કાવર તથા મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ અને સભ્યો હાજર રહ્યા હતા. અને પર્યાવરણનું જતન થાય તે માટે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોને સંદેશ લોકોને આપ્યો હતો






Latest News