મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગામાં દીઠ ૧૦૦૦ વૃક્ષ વાવવાનો ડીડીઓનો નિર્ધાર


SHARE







મોરબી જીલ્લામાં ગામાં દીઠ ૧૦૦૦ વૃક્ષ વાવવાનો ડીડીઓનો નિર્ધાર

છેલ્લા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે ત્યારે જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષા રોપણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના ડીડીઓ દ્વારા જિલ્લાના દરેક ગામાં ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને તેના માટેની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે

ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે ગરમી સતત વધી રહી છે ત્યારે પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે મોરબી જિલ્લામાં વધુમા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેના માટેનું આયોજન મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે અને આગામી ચોમાસુ સક્રિય થાય તે પહેલા જિલ્લાના દરેક ગામમાં એક હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે અને આમ કરવાથી મોરબી જીલ્લામાં ૩.૫૦ લાખ વૃક્ષોનું વાવેતર થઈ જશે અને તેના માટેની જવાબદારી પણ અધિકારીઓને સોંપવામાં આવી છે તેમજ મોરબી જિલ્લામા વૃક્ષનું વાવેતર કરતી સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી લોકોને પણ તેમાં જોડવામાં આવશે અને આ અભિયાનના ભાગ રૂપે મોરબી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સહિતના સ્ટાફે વૃક્ષોનું વાવેતર કર્યું હતું






Latest News