તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો


SHARE











વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી યુવતીને તેના પૂર્વ પ્રેમીએ કથાના જમણવાર દરમિયાન જાહેરમાં ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની યુવતીએ ના પાડતાં તેનો પુર્વ પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કમરે બાંધવાના પટ્ટા વડે યુવતીને માર માર્યો હતો જેથી કરીને નાના મોટી ઇજાઓ થવાના કારણે યુવતીએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી અને મજૂરી કામ કરતી પાયલબેન રણછોડભાઈ સિહોરા જાતે કોળી (ઉંમર ૨૦)એ હાલમાં શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપા રહે. લીબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય ત્યાર બાદ અન્ય જગ્યાએ તેની સગાઈ થઈ ગઈ હતી જેથી કરીને આરોપી અને ફરિયાદી એક જ ગામમાં રહેતા હોય કથાના જમણવાર પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં ફરિયાદી પાયલબેનને આરોપી શંકરભાઈએ જાહેરમાં ગાળો આપી હતી જેથી કરીને ગાળો બોલવાની યુવતીએ ના કહેતા ઉશ્કેરાયેલા શંકરભાઈએ કમરે બાંધવાના પટ્ટા વડે પાયલબેનને વાંસા, પગ, સાથળ અને કમરના ભાગે માર માર્યો હતો જેથી કરીને પાયલબેનને ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાયલબેને ફરિયાદ નોંધાવતા પોલીસે શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News