મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નગરપાલીકાના ૨ કરોડના સી.સી. રોડના ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા


SHARE











સોસાયટીના રહેવાસીઓની રસ્તાઓની હાડમારી હવે દુર થશે

મોરબી નગરપાલીકાની પાંચ સોસાયટીઓના સી.સી.રોડના અંદાજે ૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રનિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહનિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સોસાયટીઓમાં સી.સી. રોડ બની જતા રહેવાસીઓની રસ્તાઓની હાડમારી દુર થશે તેમજ સોસાયટીની સુવિધામાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા મોરબી શહેરના આશાપાર્ક સોસાયટી, હરીપાર્ક સોસાયટી, કેદારીયા હનુમાનજીથી ગાયત્રી આશ્રમ રોડ, સાધુ વાસવાણી સોસાયટી તેમજ સુમતિનાથ સોસાયટીઓના રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.આ અવસરે નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ જારીયા, દેવાભાઇ અવાડીયા, સુરેશ દેસાઇ, પ્રકાશ ચબાડ, ભાવેશ કંઝારીયા, નગરપાલીકાના વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલીકાના કાઉન્સિલરો, સ્થાનિક અગ્રણીઓ તેમજ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 





Latest News