વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત
મોરબી નગરપાલીકાના ૨ કરોડના સી.સી. રોડના ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા
SHARE









સોસાયટીના રહેવાસીઓની રસ્તાઓની હાડમારી હવે દુર થશે
મોરબી નગરપાલીકાની પાંચ સોસાયટીઓના સી.સી.રોડના અંદાજે ૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રનિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહનિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સોસાયટીઓમાં સી.સી. રોડ બની જતા રહેવાસીઓની રસ્તાઓની હાડમારી દુર થશે તેમજ સોસાયટીની સુવિધામાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા મોરબી શહેરના આશાપાર્ક સોસાયટી, હરીપાર્ક સોસાયટી, કેદારીયા હનુમાનજીથી ગાયત્રી આશ્રમ રોડ, સાધુ વાસવાણી સોસાયટી તેમજ સુમતિનાથ સોસાયટીઓના રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.આ અવસરે નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ જારીયા, દેવાભાઇ અવાડીયા, સુરેશ દેસાઇ, પ્રકાશ ચબાડ, ભાવેશ કંઝારીયા, નગરપાલીકાના વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલીકાના કાઉન્સિલરો, સ્થાનિક અગ્રણીઓ તેમજ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
