તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી પસાર થતી માલા ગાડી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની આડે કૂદીને યુવાનને આપઘાત કર્યો હતો જેથી કરીને બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના પચ્ચીસ વારિયા સોસાયટીની અંદર ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા પરેશભાઈ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નાંદેસરિયા (ઉમર ૨૫) વાંકાનેર નજીક આવેલ અમરસર રેલવે ફાટક પાસેથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ નાંદેસરિયાને છેલ્લા થોડા સમયથી કામ ધંધો ન હોવાના કારણે આર્થિક મૂંઝવણ હતી અને તેની સગાઈ પણ થયેલ નથી જેથી કરીને તેને આત્મહત્યા કરી હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે






Latest News