મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી પસાર થતી માલા ગાડી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની આડે કૂદીને યુવાનને આપઘાત કર્યો હતો જેથી કરીને બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના પચ્ચીસ વારિયા સોસાયટીની અંદર ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા પરેશભાઈ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નાંદેસરિયા (ઉમર ૨૫) વાંકાનેર નજીક આવેલ અમરસર રેલવે ફાટક પાસેથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ નાંદેસરિયાને છેલ્લા થોડા સમયથી કામ ધંધો ન હોવાના કારણે આર્થિક મૂંઝવણ હતી અને તેની સગાઈ પણ થયેલ નથી જેથી કરીને તેને આત્મહત્યા કરી હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે






Latest News