માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૬ મહિનામાં આયોજિત ભરતી મેળામાં ૧૧૫૫ યુવાઓએ રોજગારી મેળવી


SHARE













મોરબીમાં ૬ મહિનામાં આયોજિત ભરતી મેળામાં ૧૧૫૫ યુવાઓએ રોજગારી મેળવી

સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા જિલ્લાઓમાં જિલ્લા વિનિમય કચેરી હેઠળ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે અને રોજગારી પૂરી પાડવા પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં આ વર્ષે એપ્રિલ- ૨૦૨૫ થી અત્યાર સુધી ૧૮ કેટલા ભરતી મેળાઓનું આયોજન કરી ૧૧૫૫ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

રોજગારી આ શબ્દ આપણી સમગ્ર જીવનશૈલી સાથે સીધો જ સંકળાયેલો છે. યોગ્ય રોજગારી સાથે સમગ્ર પરિવારનું જીવનધોરણ જોડાયેલું છે ત્યારે સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જે જે પૈકીનું એક એટલે ભરતી મેળા. સરકારના શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ જિલ્લાઓમાં રોજગાર અને વિનિમય કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ ભરતી મેળાઓમાં ખાનગી કંપનીઓના નોકરી દાતા ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ તેમને અનુકૂળ યુવાઓની સ્થળ પર જ પસંદગી કરવામાં આવે છે અને રોજગારી પ્રદાન કરવામાં આવે છે.

મોરબી જિલ્લો સીરામીક ક્ષેત્રે અગ્રેસર છે. સિરામિકની સાથે મોરબી જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો મોરબી જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અનેક જિલ્લા તેમજ દેશના અન્ય રાજ્યોના લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. ત્યારે સરકાર દ્વારા આયોજિત ભરતી મેળાઓમાં અહીંના ઉદ્યોગો પણ સહભાગી થાય છે અને તેમની વર્ક પ્રોફાઈલ અનુસાર કર્મચારીઓની પસંદગી કરે છે. આ ભરતી મેળાઓ આજે અનેક યુવાનોને રોજગારી મેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે, અનેક ખાનગી કંપનીઓ સારા પગાર સાથે તેમની જરૂરિયાત મુજબના કર્મચારીઓની પસંદગી કરે છે. જેથી તેમને કુશળ અને સક્ષમ કર્મચારીઓ મળી રહે છે અને યુવાઓને રોજગારી મળી રહે છે. 




Latest News