મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ


SHARE













મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ

મોરબીમાં આગામી ૧૫ મી ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે બપોરે ૩ થી ૬ કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડાયાબિટીસ અનેબી.પી.નુ નિદાન ડૉ.ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે તથા જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરીવાર તરફથી લોકોને ૩ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.
તેમજ વધારાની સેવાઓ જેવી કે તાવ, શરદી, ઉધરસ વિગેરે ચેક કરી દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ જયસુખભાઇ ભાલોડીયા દ્વારા હાથ-પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવશે.જેનો લાભ લેવા યાદીમાં જણાવેલ છે.






Latest News