મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ


SHARE







મોરબીમાં 15 ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ

મોરબીમાં આગામી ૧૫ મી ઓક્ટોબરે જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે બપોરે ૩ થી ૬ કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડાયાબિટીસ અનેબી.પી.નુ નિદાન ડૉ.ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે તથા જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરીવાર તરફથી લોકોને ૩ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.
તેમજ વધારાની સેવાઓ જેવી કે તાવ, શરદી, ઉધરસ વિગેરે ચેક કરી દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ જયસુખભાઇ ભાલોડીયા દ્વારા હાથ-પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવશે.જેનો લાભ લેવા યાદીમાં જણાવેલ છે.






Latest News