તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ


SHARE











મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ

મોરબીથી વાંકાનેર નેશનલ હાઈવે નાલાઓના કામ પૂરા થઈ ગયેલ છે ત્યારે રાહદારીઓ માટે તાત્કાલીક ખુલ્લા મુકવા માટે પાલિકાના સભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે 

મોરબી પાલિકાના સભ્ય શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા મોરબી વોર્ડ નં .૪ ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયાગોતમભાઈ સોલંકીકાઉન્સીલર મનસુખભાઈ બરાસરાગીરીરાજસિહ ઝાલા અને ઉપપ્રમુખ મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતી મોરચો બળવંતભાઈ સનાળીયા તથા ટ્રાન્સપોર્ટર અને સમાજ સેવક હર્ષદભાઈ વામજાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેનેશનલ હાઈવે ઉપર લાલપરરફાળેશ્વર અને મકનસર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલ નાલાના કામ એકાદ વર્ષથી પૂરા થઈ ગયેલ છે છતાં નાલા ઉપર રાહદારીઓ તથા વાહનોને ચાલવા દેવામાં આવતા નથી જેના કારણે હાઈવે ઉપર વાંરવાર ટ્રાફીક જામની સમસ્યાઓ ઉભી થાય છે અને ડાયવર્જન પણ બરાબર ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર જે વધારાનો ટ્રાફીક થાય છે તેનુ મુળ કારણ આ બંધ પડેલ નાલા છે જેથી કરીને તેને તાત્કાલિક ખોલવામાં આવે તેવી માંગ કરી છે






Latest News