મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર દ્રારા આયોજીત સેમીનારનો જીલ્લાના ૨૮૫ શિક્ષકોએ લાભ લીધો
મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1626237699.webp)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર નાલાના કામ પૂરા થઈ ગયા હોવાથી રસ્તા ખોલવાની માંગ
મોરબીથી વાંકાનેર નેશનલ હાઈવે નાલાઓના કામ પૂરા થઈ ગયેલ છે ત્યારે રાહદારીઓ માટે તાત્કાલીક ખુલ્લા મુકવા માટે પાલિકાના સભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે
મોરબી પાલિકાના સભ્ય શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા મોરબી વોર્ડ નં .૪ ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયા, ગોતમભાઈ સોલંકી, કાઉન્સીલર મનસુખભાઈ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા અને ઉપપ્રમુખ મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતી મોરચો બળવંતભાઈ સનાળીયા તથા ટ્રાન્સપોર્ટર અને સમાજ સેવક હર્ષદભાઈ વામજાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, નેશનલ હાઈવે ઉપર લાલપર, રફાળેશ્વર અને મકનસર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલ નાલાના કામ એકાદ વર્ષથી પૂરા થઈ ગયેલ છે છતાં નાલા ઉપર રાહદારીઓ તથા વાહનોને ચાલવા દેવામાં આવતા નથી જેના કારણે હાઈવે ઉપર વાંરવાર ટ્રાફીક જામની સમસ્યાઓ ઉભી થાય છે અને ડાયવર્જન પણ બરાબર ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર જે વધારાનો ટ્રાફીક થાય છે તેનુ મુળ કારણ આ બંધ પડેલ નાલા છે જેથી કરીને તેને તાત્કાલિક ખોલવામાં આવે તેવી માંગ કરી છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)