મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન મેળવવા પહોચ્યા
“આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ?” કેનાલમાં ૩૦૦૦ દેડકા કાર્યરત હોવાનો ખેડૂતોનો આક્ષેપ
SHARE









“આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ?” કેનાલમાં ૩૦૦૦ દેડકા કાર્યરત હોવાનો ખેડૂતોનો આક્ષેપ
હાલમાં વરસાદ ખેંચવાના લીધે ખેડૂતોને નર્મદાની કેનાલમાથી સિચાઈ માટે પાણી આપવામાં આવે તે જરૂરી છે ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને ખેડૂતો જાતે કેનાલ ઉપર ચેકિંગ માટે જતાં હોય છે ત્યારે એવિ ચોકાવનારી માહિતી સામે આવી છે કે, આ કેનાલમા એક કે બે નહીં પરંતુ ૩૦૦૦ જેટલા દેડકા કાર્યરત છે જેથી કરીને કેનાલમાં ગમે તેટલું પાણી છોડવામાં આવે તો પણ “આમા માળીયા સુધી નર્મદાનું પાણી પુગે કેમ ? તે સૌથી મોટો સવાલ છે ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, નર્મદા નિગમના અધિકારી અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવીને કેનાલમાં નાખવામાં આવેલા ગેરકાયદે દેડકા, બકનળી અને કનેક્શન કટ કરીને માળીયાના ખેડૂતોને પાણી પહોચડવા માટેની માંગ કરવામાં આવી છે અને જો ત્રણ દિવસમાં પાણી નહીં પહોંચે તો હાઇકોર્ટે જવા ચીમકી ઉચ્ચારી છે
માળીયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલમાથી હાલમાં પાણી મળી રહ્યું નથી જેથી કરીને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર, નર્મદા નિગમના અધિકારી અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં લખયું છે કે, હળવદ તાલુકાના ગામડા સુઘી જ પાણી પહોચે છે. જો કે, માળીયા તાલુકાનાં ખેડૂતોને પાણી મળતું નથી કેમ કે, આ કેનાલમાં ૩૦૦૦ જેટલા દેડકા નાખવામાં આવેલ છે જેથી ગેરકાયદે પાણી ઉપાડી લેવામાં આવતું હોય જે ખેડૂતોને ખરેખર પાણીની જરૂર છે તે ખેડૂતોને પાણી મળી રહયું નથી જો ખાસ ટીમો બનાવીને ગેરકાયદે પાણીના ક્નેકશાનો અને દેડકાને કેનાલમાથી કાઢવામાં આવે તો જ છેવાડાના ગામ સુધી આ કેનાલમાં પાણી પહોચે તેમ છે તે નિશ્ચિત વાત છે
હાલમાં ખેડૂતો પાણી માટે ચેકિંગ કરી રહ્યા છે અને જવાબદાર અધિકારી તમાશો જોઈ રહ્યા છે ત્યારે અધિકારીઓની બેદ્ર્કારીના લીધે ખેડૂતોને નુકશાની થઈ રહી છે તેવા સમયે હાલમાં પણ ખેડૂતો શાંતિનો માર્ગ અપનાવીને આવેદન પત્ર પાઠવી રહ્યા છે જો કે, આગામી દિવસોમાં નક્કર પગલાં ન લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાને પણ પાણી મળે તે વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી અધિકારીઓએ અને પદાધિકારીની છે જો કે, ખેડૂતો હેરાન છે તેમ છતાં પણ અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી કેમ હલતું નથી તે સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ હવે અધિકારીઓએ તેને ગંભીરતાથી નહિ લે તો આગમી દિવસોમાં ના છૂટકે ન્યાય માટે ખેડૂતો હાઇકોર્ટના ડિયર ખટખટાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે
