મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી


SHARE













મોરબીમાં કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકીને ભણતર માટે અજયભાઇ લોરીયાએ દત્તક લીધી

મોરબી કોરોનાની મહામારીમાં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે લોકોની સેવા કરનારા અજયભાઇ લોરીયા દરેક જ્ઞાતિના લોકોને મદદરૂપ બને છે જેથી કરીને નાની ઉંમરમાં ભામાશાનું બિરૂદ લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓ હાલમાં જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગના ચેરમેન છે

 મોરબી જિલ્લા પંચાયતનાં ચેરમેન અજયભાઈ લોરિયા "સેવા એજ સંપતિ" નામની સંસ્થા પણ ચલાવે છે. અને દેશનાં સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ, શહીદ થઈ જાય તો તેમના પરિવારને રૂબરૂ મળી લાગણી,પ્રેમ અને આર્થિક મદદ કરતાં હોય છે અને કોરોનાની મહામારીમાં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી "ત્રિશા રાઠોડ"ને અજયભાઈ લોરિયાએ માનવતા મહેકાવીને આ દીકરીના એજ્યુકેશન (ભણતર) માટેનો તમામ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે અને દીકરીને ભણતર માટે દતક લીધી છે




Latest News