તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન કરતા બે વાહનો જપ્ત કરાયા


SHARE











મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન કરતા બે વાહનો જપ્ત કરાયા

મોરબી ખાણ ખનીજ વિભાગના બી.બી.પટેલ દ્વારા બાતમીના આધારે શનિવાર મોડી રાત્રીના એક વાગ્યે રેડ કરવામાં આવી હતી જ્યાં ખનન કરતા પીળા કલરનું એકસલેટર મશીન તેના ચાલક દેવજી કરશન સાવલિયા રહે. ગુજરાત હાઉસિંગ સોસાયટી મોરબી તેમજ પીળા કલરનું જેસીબી મશીન તેના ચાલક મેરામ બીજલ ખાંભલા રહે.સોખડા મોરબી વાળાઓ સાથે અનઅધિકૃતપણે ખનીજ ખનન કરતા પકડી પાડીને બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને બંને વાહનોને દંડ વસુલવાની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ભારે મોટી માત્રામાં ખનીજ ચોરી થાય છે જેમાંથી પાશેરામાં પૂણી સમાન કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવે છે માટે ઉચ્ચ કક્ષાએથી સમયાંતરે વોચ ગોઠવવામાં આવે તો સરકારને ભારે મોટી રેવન્યુની આવક પ્રાપ્ત થાય તેમ છે તેવું જાણકારોનું માનવું છે.

પરણીતા-યુવાન સારવારમાં

ભાવનગરના મહુવા ખાતે રહેતી કોમલબેન વિવેકભાઈ કુબાવત નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘેર તેના પતિ, દિયર અને સસરાએ માર મારતા કોમલબેન કુબાવતને ગત મોડી રાત્રિના અઢી વાગ્યે મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ હાથ ધરેલ છે.જયારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ધ્રુવ મનહરભાઇ રાઠોડ નામના ૧૯ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ ખોજા સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાહરૂખ હનીફ ચીનીયા (૨૫) અને આસિફ ગફાર મોવર (૨૦) નામના બે યુવાનોને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર રહેતો હિત પંકજભાઈ સોરઠીયા નામનો ૧૧ વર્ષનો બાળક બાઈકની પાછળ બેસીને જતો હતો ત્યારે ઘુનડા રોડ ઉપર રસ્તામાં કુતરૂ આડુ આવતા બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઈજાઓ થતાં હિત પંકજભાઇ નામના ૧૧ વર્ષના બાળકને સારવારમાં ખસેડાયો હતો.






Latest News