વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કારખાનાના કવાર્ટરમાં ફાસો ખાઈ લેતા પરિણીતા સારવારમાં


SHARE







મોરબીના જાંબુડીયા પાસે કારખાનાના કવાર્ટરમાં ફાસો ખાઈ લેતા પરિણીતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે સેનેટરીના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારમાં પરિણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને ગંભીર હાલતમાં મોરબીની સદભાવના હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બેલ સેનેટરી નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા પરમાનંદ દાસના પત્ની રંજનબેન (ઉંમર વર્ષ ૨૨) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના સમયે પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને ગંભીર હાલતમાં મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને પરિણીતાના લગ્ન પાંચ પહેલા થયા હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળે છે જો કેપરિણીતાએ ક્યા કારણોસર ફાંસો ખાધો હતો તે બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા જાવેદભાઈ મુસ્લિમના પત્ની પ્રેમીદાબેન (ઉમર ૩૨) ને કિડનીની બીમારી હોય ગઈકાલે હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતું.જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે રેલવે કવાર્ટરમાં રહેતા ભરતભાઈ ભુપતભાઈ ધામેચા (ઉંમર ૩૪) ને ગઈકાલે બપોરના સમયે બેભાન અવસ્થામાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે બેભાન અવસ્થામાં જ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News