મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કારખાનાના કવાર્ટરમાં ફાસો ખાઈ લેતા પરિણીતા સારવારમાં


SHARE











મોરબીના જાંબુડીયા પાસે કારખાનાના કવાર્ટરમાં ફાસો ખાઈ લેતા પરિણીતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે સેનેટરીના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારમાં પરિણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને ગંભીર હાલતમાં મોરબીની સદભાવના હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બેલ સેનેટરી નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા પરમાનંદ દાસના પત્ની રંજનબેન (ઉંમર વર્ષ ૨૨) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના સમયે પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને ગંભીર હાલતમાં મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને પરિણીતાના લગ્ન પાંચ પહેલા થયા હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળે છે જો કેપરિણીતાએ ક્યા કારણોસર ફાંસો ખાધો હતો તે બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા જાવેદભાઈ મુસ્લિમના પત્ની પ્રેમીદાબેન (ઉમર ૩૨) ને કિડનીની બીમારી હોય ગઈકાલે હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતું.જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે રેલવે કવાર્ટરમાં રહેતા ભરતભાઈ ભુપતભાઈ ધામેચા (ઉંમર ૩૪) ને ગઈકાલે બપોરના સમયે બેભાન અવસ્થામાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે બેભાન અવસ્થામાં જ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News