ચણા-મમરાની જેમ હથિયાર મળે !: મોરબી યાર્ડ સામે બેઠેલા શખ્સની થેલીમાંથી એક પિસ્તોલ-બે તમંચા કબ્જે કરતી પોલીસે મોરબી નજીક હાઇવે રોડે રિક્ષાની રેસ કરતા શખ્સને પોલીસે પકડ્યો મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો ચગ પરિવાર માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું મોરબી નજીક અગાઉ ફાયરિંગ કરીને નીલગાયનો શિકાર કરવામાં પકડાયેલ શખ્સ હવે હથિયાર સાથે માળીયા (મી)માં પકડાયો મોરબી જીલ્લા પોલીસે કોમોમરેશન પરેડ યોજીને શાહિદ પોલીસ જવનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મીએ યોજાશે


SHARE













વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મીએ યોજાશે

વાંકાનેરના લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૫/૧૦ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનાં વડાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. અને તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ  કે પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવાની રહેશે અને અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. તેમજ અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી તેવું વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણીએ જણાવ્યુ છે




Latest News