મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષોની સભા/લાઉડ સ્પીકર સહિતની ૮૫ મંજૂરી અપાઈ


SHARE









મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષોની સભા/લાઉડ સ્પીકર સહિતની ૮૫ મંજૂરી અપાઈ

લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અન્વયે પ્રચાર પ્રસાર માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૫ જેટલા કાર્યકમો/આયોજનોને મંજૂરીઓ આપવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થાય ત્યારથી રાજકીય પક્ષો દ્વારા યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમો/આયોજનો ઉપર ચૂંટણી તંત્ર દ્વારા નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. રાજકીય પક્ષો કોઈ કાર્યક્રમ યોજવા ઇચ્છુક હોય ત્યારે તેમના દ્વારા જિલ્લા ચૂંટણી તંત્ર પાસે મંજૂરી મેળવી કાર્યક્રમો યોજવાના હોય છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આગામી ૭ તારીખે લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે ૧૬ માર્ચ કે જ્યારથી આદર્શ આચારસંહિતા લાગુ પડી ત્યારથી લઇ અને અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી ૮૫ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ ૮૫ અરજીઓમાંથી ૫૬ અરજીઓ રાજકોટ સંસદીય મતવિસ્તાર માટે અને ૨૯ અરજીઓ કચ્છ સંસદીય મતવિસ્તાર માટેની છે આ અરજીઓમાં લાઉડ સ્પીકર સાથેની સભાલાઉડ સ્પીકરરેલીશેરી સભાઓકામ ચલાઉ ધોરણે પક્ષની ઓફિસ ઉભી કરવીડોર ટુ ડોર પ્રચાર સહિત વિવિધ કાર્યક્રમો/આયોજનો માટે મંજૂરીઓ માંગતી અરજીઓ કરવામાં આવી હતી. જે અરજીઓ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.






Latest News