લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૨૮ તોલા સોનાના દાગીના અને રોકડા ૬ લાખ મળીને ૨૫ લાખના મુદામાલની ચોરી: પોલીસના નાઈટ પેટ્રોલીંગના ધજાગરા


SHARE

















મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૨૮ તોલા સોનાના દાગીના અને રોકડા ૬ લાખ મળીને ૨૫ લાખના મુદામાલની ચોરી: પોલીસના નાઈટ પેટ્રોલીંગના ધજાગરા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં તસ્કરોએ રાત્રિના સમયગાળા દરમિયાન ધામા નાખ્યા હતા અને ત્યાં પૂર્વ સરપંચ સહિત ત્રણ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા જોકે બે મકાનમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ થયા હતા પરંતુ તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનને નિશાન બનાવીને ઘરની અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને ઘરમાંથી રોકડા રૂપિયા ૬ લાખ તથા ૨૮ તોલા સોનાના દાગીના આમ કુલ મળીને અંદાજે ૨૫ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમ દોડતી થઈ ગયેલ છે અને રાત્રી દરમિયાન કરવામાં આવેલ આ લાખો રૂપિયાના મુદામાલની ચોરીના ગુનામાં ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે અને ચોરી કરીને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગની મોટી મોટી વાતો કરવામાં આવે છે જોકે મોરબી જિલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ, લૂંટ અને લૂંટનો પ્રયાસ વિગેરે જેવી ઘટનાઓ અવારનવાર રાત્રિના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારની અંદર બનતી હોય તેવું જોવા મળતું હોય છે તેવામાં જો વાત કરીએ તો મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં આજે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને ત્રણ મકાનોને આ તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયા, મગનભાઈ શેરસિયા અને હરેશ નરભેરામભાઈ સાણજા મકાનને નિશાન બનાવ્યા હતા અને વધુમાં ગ્રામજનો પાસેથી મળતી વિગત પ્રમાણે હરેશ નરભેરામભાઈના મકાનમાં બારી તોડતા હતા તસ્કરો ત્યારે અવાજ આવવાના કારણે લોકો જાગી જતા તે અંધારાનો લાભ લઈને નાસી છુટ્યા હતા જોકે મગનભાઈ શેરસિયાના ઘરમાં બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરીને ૩૦૦ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના મકાનને નિશાન બનાવીને તેના ઘરમાંથી રોકડા રૂપિયા ૬ લાખ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે

હાલમાં જાણવા મળી રહેલ વિગત મુજબ જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયા (૬૮) ના રહેણાંક મકાનને નિશાન બનાવીને તકરોએ પાછળનો દરવાજો તોડીને હોલમાં પ્રવેશ કર્યો હતો જોકે હોલનો દરવાજો ખુલ્યો ન હતો જેથી કરીને આ તસ્કરોએ ઘરની અંદર આગળના ભાગેથી દિવાલ કૂદીને આવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ શખ્સોએ ઘરની અંદર રાખવામાં આવેલ પેટી પલંગ જેવી સેટિ તથા કબાટના માલ સમાનને વેર વિખેર કરી નાખ્યો હતો અને તેમાં રાખેલ રોકડા રૂપિયા ૬ લાખ તથા બે ડોકિયા, પાંચ નંગ સોનાની બુટ્ટી, ૬ સોનાની વીંટી, બે સોનાના ચેન, ચાર સોનાની બંગડીમ સાડા ત્રણ તોલાનું સોનાનું કડુ, ત્રણ તોલાની સોનાની વીંટી, સોનાના ચાર તોલાથી વધુના ત્રણ ચેન આમ કુલ મળીને સોનાના અંદાજે ૨૮ તોલાના દાગીના તસ્કરો લઈ ગયેલ છે એટલે કે સોનાની વર્તમાન કિંમત મુજબ હિસાબ કરવામાં આવે તો અંદાજે ૨૫ લાખથી વધુના મુદ્દામાલની જેપુર ગામના પૂર્વ સરપંચના મકાનના અંદરથી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવેલ છે તેવી વિગતો સામે આવી રહી છે

વધુમાં ગામના લોકો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે રાત્રિના અંધારામાં ચોરીની આ ઘટનાને અંજામ આપવા માટે થઈને લગભગ બે શખ્સો ગામમાં આવ્યા હોય તેવી ચર્ચા થઈ રહી છે જોકે ચોરીની આ ઘટના સામે આવતા હાલમાં પોલીસ તંત્રને દોડતું થઈ ગયું છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ, એલસીબીની ટીમ તેમજ ડોગ સ્કવોડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ડોગ સ્કવોડની ટીમને સાથે રાખીને તસ્કરોનું પગેરું મેળવવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને બીજી બાજુ ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી ત્યારે પૂર્વ સરપંચ અને તેના પત્ની બહારના ભાગે ઘરમાં ફળિયામાં સૂતા હતા અને તેના બે દીકરા ગાશી ઉપર સૂતા હતા તેઓને સૂતા રાખીને તસ્કરો ઘરમાં આવીને ૨૫ લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને નાસી ગયેલ છે તેને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે




Latest News