માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીની અંકુર સોસાયટીમાં કરવામાં આવી રહેલ ગેરકાયદે બાંધકામને રોકવાની સ્થાનિકોની માંગ


SHARE















મોરબીની અંકુર સોસાયટીમાં કરવામાં આવી રહેલ ગેરકાયદે બાંધકામને રોકવાની સ્થાનિકોની માંગ

મોરબીમાં આવેલ અંકુર સોસાયટી, અનુપમ સોસાયટી, આર્ય સોસાયટી, રામેશ્વર સોસાયટી તથા આરાધના સોસાયટીના લોકોએ હાલમાં ગેરકાયદે બાંધકામ બાબતે ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરેલ છે અને તાત્કાલિક અસરથી ગેરકાયદેસર બાંધકામ રોકવામાં આવે તેવી માંગ કરી છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, નગરપાલીકાની હદમાં આવેલ અંકુર સોસાયટીમાં રામેશ્વર મહાદેવ મંદિરની સામે અંકુર પ્રોવીજનલ સ્ટોરની બાજુમાં એક વ્યકિત કોઈ પણ જાતની મંજુરી વગર ગેરકાયદે બાંધકામ કરે છે અને નીતિ નિયમોનો ઉલાળ્યો કરીને ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે સોસાયટીના લોકોને ધ્યાને આવતા આ બાંધકામને રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, પ્લોટની ખુલ્લી જગ્યાના માલીક આ જગ્યા ઉપર મકાનનું ગેરકાયદે બાંધકામ કરે છે તેઓએ બાંધકામ કરવા માટે સક્ષમ અધિકારીની કોઈ પરવાનગી લીધેલ નથી અને માનવીની જીદગી જોખમાય તેવી રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને અંકુર સોસાયટીના આ પ્લોટના માલીક દ્રારા કરવામાં આવી રહેલ બાંધકામને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તેવી સોસાયટીના લોકોએ માંગ કરી છે






Latest News