મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર જોધપર ડેમ પાસે યુવાને ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લેતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી હરેશભાઈ નામના યુવાનને મોરબી તાલુકાના લીલાપર-જોધપરના રસ્તે મચ્છુ-2 ડેમ નજીક અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લીધા હતા.જેથી તેમને પ્રથમ અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવેલ. અહીં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. હોસ્પીટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતે ઈજા
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ જવાહર સોસાયટીમાં રહેતા નવિનભાઈ રતિલાલ ચૌહાણ (ઉ.31) નામનો યુવાન બાઈક લઈને જેતપર-પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યારે પીપળી ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે સીરામીક યુનીટ નજીક મારામારીમાં ઈજા થતા રાજેશકુમાર રનવિરસિંહ શર્મા (ઉ.24) રહે. લીવાટ સીરામીક રંગપરની સિમ તા.જી. મોરબીને ગત તા.2ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મારામારીની ઘટનામાં ઈજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 






Latest News