મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર જોધપર ડેમ પાસે યુવાને ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લેતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી હરેશભાઈ નામના યુવાનને મોરબી તાલુકાના લીલાપર-જોધપરના રસ્તે મચ્છુ-2 ડેમ નજીક અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લીધા હતા.જેથી તેમને પ્રથમ અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવેલ. અહીં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. હોસ્પીટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતે ઈજા
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ જવાહર સોસાયટીમાં રહેતા નવિનભાઈ રતિલાલ ચૌહાણ (ઉ.31) નામનો યુવાન બાઈક લઈને જેતપર-પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યારે પીપળી ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે સીરામીક યુનીટ નજીક મારામારીમાં ઈજા થતા રાજેશકુમાર રનવિરસિંહ શર્મા (ઉ.24) રહે. લીવાટ સીરામીક રંગપરની સિમ તા.જી. મોરબીને ગત તા.2ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મારામારીની ઘટનામાં ઈજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 






Latest News