મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર જોધપર ડેમ પાસે યુવાને ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લેતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી હરેશભાઈ નામના યુવાનને મોરબી તાલુકાના લીલાપર-જોધપરના રસ્તે મચ્છુ-2 ડેમ નજીક અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લીધા હતા.જેથી તેમને પ્રથમ અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવેલ. અહીં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. હોસ્પીટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતે ઈજા
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ જવાહર સોસાયટીમાં રહેતા નવિનભાઈ રતિલાલ ચૌહાણ (ઉ.31) નામનો યુવાન બાઈક લઈને જેતપર-પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યારે પીપળી ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે સીરામીક યુનીટ નજીક મારામારીમાં ઈજા થતા રાજેશકુમાર રનવિરસિંહ શર્મા (ઉ.24) રહે. લીવાટ સીરામીક રંગપરની સિમ તા.જી. મોરબીને ગત તા.2ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મારામારીની ઘટનામાં ઈજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 






Latest News