મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી: પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે વળતરનું ચક્રવૃદ્ધિ વ્યાજ


SHARE













મોરબી: પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે વળતરનું ચક્રવૃદ્ધિ વ્યાજ

સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે અનેક યોજનાઓની સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મહત્વનું ઈંધણ સાબિત થઈ રહી છે ત્યારે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વધુ સારી આવક મેળવી રહ્યા છે. ઉપરાંત સારું એવું પાક સંવર્ધન પણ કરી રહ્યા છે.

મિશ્ર પાક પદ્ધતિમાં બે પાક સહજીવી રીતે એક બીજા ઉપર આધારિત રહેતા હોવાથી પાકનું સારી રીતે સંવર્ધન થાય છે ઉપરાંત એક જ સિઝનમાં બે પાક લઈ શકાતા હોવાથી ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે. સહજીવી કે મિશ્ર પાક પદ્ધતિ અપનાવતી વખતે ખેડૂતોએ કેટલીક બાબતોની તકેદારી રાખવાની રહે છે. જેની વાત કરીએ તો જ્યારે મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ જેમ કે, ઘઉંની સાથે ચણા, સરસવ, મસુર, ધાણા, વટાણા વગેરે સહજીવી પાકો ઉગાડી શકાય છે. જ્યારે મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. જેમ કે, કપાસ તેમજ તુવેરના મૂળ ઊંડા જાય છે જ્યારે મગ અને અડદના મૂળ મુખ્યત્વે ઉપર રહેતા હોય છે.

સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધી અથવા એક તૃતીયાંશ વય મર્યાદાનો હોવો જોઈએ. એટલે કે, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ જેમકે સપ્ટેમ્બર મહિનામાં વાવવામાં આવતી શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવાની સાથે શેરડીની સાથે મગ અથવા અડદ પણ વાવી શકાય છે. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેઓ હોવો જોઈએ. જેથી સહજીવી પાક તરીકે મુખ્યત્વે બધા જ પ્રકારના દ્વિદળ વર્ગીય તેમજ તરબૂચ ચીભડા કાકડી વગેરે લઈ શકાય.

જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો સહજ એવી પાક તેઓ લેવો જોઈએ જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય જેમ કે શેરડીમાં હળદર તેમજ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય મુખ્ય પાક એવો હોય કે જેના પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો લોવો જોઈએ જેના પાન વધુ ખરતા હોય જેમ કે, બધા જ પ્રકારના કઠોળ વર્ગના પાક સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થશે જેમકે મકાઈ ગલગોટા ચોળી રાઈ બાજરો વગેરે આ પ્રકારના મિશ્ર પાક સારા સાબિત થઈ શકે છે.




Latest News