મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે બાઇકમાં જતા અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીમાં પતિ સાથે બાઇકમાં જતા અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઘવાયેલ મહિલાને મોરબી બાદ રાજકોટ અને બાદમાં અમદાવાદ ખસેડાયા હતા જયાં સારવાર દરમ્યાન સુરેન્દ્રનગર જીલ્લાની વતની મહિલાનું મોત નિપજયું છે. બનાવને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે.

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચરની પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં રીક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા કાજલબેન રોહિતભાઇ ઓગણીયા (ઉ.વ.ર1) રહે. વગડીયા તા.મુળી જી. સુરેન્દ્રનગરને માથા તથા શરીરે ઇજા પહોંચતા મોરબી સિવિલે લવાયા હતા. જયાં રાબેતા મુજબ પાટાપીંડી કરીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.

જયાં સારવાર દરમ્યાન કાજલબેન રોહિતભાઇ ઓગણીયાનું મોત નિપજયું હતું. જેથી અમદાવાદ શાહિબાગ પોલીસ સ્ટેશન દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવતા મોરબી બી ડીવીઝન મથકના હિતેષભાઇ મકવાણાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના શંકર આશ્રમ નજીક રહેતા લાભુબેન હર્ષદભાઇ પંડયા નામના 60 વર્ષના વૃધ્ધને શંકર આશ્રમ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. જેથી બી ડીવીઝન પોલીસ મથકના અશોકભાઇ સારદીયાને બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ખાડાના લીધે અકસ્માત

મોરબી હાલ ખાડા નગરી બની ગઇ હોય તેવો ઘાટ છે. તેવામાં મોરબીના રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ રોહિદાસપરામાં રહેતા ગોવિંદભાઇ હમીરભાઇ ચૌહાણ (ઉ.વ.પ1) કે જેઓ તેમના પાડોશીની સાથે બાઇકમાં પાછળ બેસીને સીટીમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે રોહિદાસપરા  વિસ્તારમાં જ રોડ ઉપરના ખાડામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતા ગોવિંદભાઇ ચૌહાણ બાઇકમાંથી નીચે પડી ગયા હતા. જેથી હાથ અને ખંભાના ભાગે ઇજાઓ થવાથી તેમને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયા હતા. બનાવને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના અશોકભાઇ સારદીયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News