મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં 500 વર્ષ પ્રાચીન શ્રી રઘુનાથજી મંદિરના ગાદીપતિ મહંત છબીરામજી મહારાજનું નિધન: શહેરમાં શોક


SHARE











વાંકાનેરમાં 500 વર્ષ પ્રાચીન શ્રી રઘુનાથજી મંદિરના ગાદીપતિ મહંત છબીરામજી મહારાજનું નિધન: શહેરમાં શોક
ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના અગ્રણીઓ, ગામે ગામથી પધારેલા સંતો, મહંતો, અનુયાયીઓએ પુષ્પાંજલી અર્પી: પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વાંકાનેરમાં પાંચસો વર્ષ જુનુ શ્રી રઘુનાથજી મંદિરના સાતમાં ગાદીપતિ મહંત પૂ.શ્રી છબીરામદાસજી મહારાજનું ટુંકી બીમારી બાદ ગઈકાલે રાત્રે પુ.બાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.

 આ વાત વાયુવેગે પ્રસરતા બહોળી સંખ્યામાં અનુયાયીઓ મંદિર ખાતે દોડી આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરની વિવિધ જગ્યાના સંતો મહંતો તથા અનુયાયીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 ત્યારબાદ શ્રી રઘુનાથજી મંદિર ખાતે જ પુ.બાપુના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. આ તકે અનેક સંતો મહંતો તથા વિવિધ વ્યાપારી એસો.ના અગ્રણીઓ-હોદેદારો ઉપરાંત ધારાસભ્ય જીતુભાઈ સોમારી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ વ્યાપારી અગ્રણી વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, પત્રકારો લીતેશભાઈ ચંદારાણા, ભાટી એન. પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, અશ્ર્વિનભાઈ મેઘાણી, વિશ્વ હિન્દુ પરિષદના અમરશીભાઈ મઢવી, કાઉન્સીલર રાજભાઈ સોમાણી, અમિતભાઈ સેજપાલ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તથા બાર કાઉન્સીલના અગ્રણી સુનીલભાઈ મહેતા, જીતેશભાઈ રાજવીર, બ્રિજરાજસિંહ રાણા, કિરાણા એસો.ના ઉપપ્રમુખ લલીતભાઈ ભીંડોરા, વિરાજભાઈ મહેતા, મુનાભાઈ હેરમા, ચેતનગીરી ગૌસ્વામી સહિતના અગ્રણી આગેવાનો ઉપરાંત કાર્યકરો દ્વારા પુષ્પાંજલી તથા પુષ્પવર્ષા અર્પણ કરવામાં આવી હતી.

પુજય બાપુની અંતિમ નગરયાત્રા શ્રી રઘુનાથજી મંદિરેથી પ્રસ્થાન થઈ માર્કેટ ચોક, ચાવડી ચોક, દરબારગઢ રોડ, રામચોક, પ્રતાપ ચોક, પુલ દરવાજા, દિવાનપરા, જડેશ્ર્વર રોડ થઈ સમાધી સ્થાને પહોંચી હતી, જયાં શાસ્ત્રોકત વિધી કરાયા બાદ સમાધી આપવામાં આવી હતી






Latest News