મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ


SHARE







મોરબી : વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની હાજરીમાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં સાંસદ ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં સારો વરસાદ પડ્યો હોવાથી સ્થાનિક જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે બંધ થયા છે ત્યારે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયા રાત્રે 9 વાગ્યે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતનાઓની હાજરીમાં કલેકટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બે દિવસ પહેલા ઢવાણા ગામે બનેલી દુર્ઘટનાની માહિતી મેળવી હતી ત્યારબાદ 36 કલાકમાં પડેલા વરસાદ અને બચાવ રાહતની જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવી હતી અને જરૂરી સુચનાઓ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવી હતી અને વરસાદ તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોની કાલે પ્રભારી મંત્રી અધિકારી અને પદાધિકારીઓની સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.






Latest News