મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !


SHARE











મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !

મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ આજની તારીખે પણ ખેતી આધારિત ગામ છે અને આઝાદીના 78 વર્ષ પછી પણ આ ગામના લોકો અને ખેડૂતોની વ્યથા કોઈ સાંભળતું નથી અને નદીના બીજા કાંઠે ખેડૂતોની જમીન આવેલ હોય ચોમાસામાં નદીમાં પાણી આવી ગયા પછી ખેડૂતો ખેતી કરી શકતા નથી જેથી કરીને નદી ઉપર પુલ બનાવવાની વર્ષોથી માંગ કરવામાં આવે છે જો કે, ખેતી આધારિત ગામ હોવા છતાં પણ ખેડૂતોનો પ્રશ્ન ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્ય કે સ્થાનિક પ્રતિનિધિ કે પછી વહીવટી તંત્ર દ્વારા કેમ ઉકેલવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે.

રામપર (પાડાબેકર) ગામના ખેડૂતોની મોટાભાગની જમીન નદીના સામાકાંઠે હોવાથી ચોમાસામાં ખેડૂતો તેમના ખેતરોમાં જઈ શકતા નથી, ચોમાસુ ખેતી પણ થઈ શકતી નથી, આગોતરી ખેતી કરી વળતર લઈ શકાતું નથી, માત્ર શિયાળુ ખેતી એટલે કે પાસ્તરનું જ વાવેતર થાય છે. આ બાબતે ખેડૂતોએ નદી ઉપર પુલ બાંધવા વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ ઉપર ભગવાન અને નીચે સરકાર કે વહીવટી તંત્ર ગામના લોકો કે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. જેથી ખેતીની પૂરતી આવક ન થતાં ખેડૂતોની દશા બેહાલ થઈ રહી છે. અને ચૂંટણી સમયે નેતાઓ વાત સાંભળી આશ્રવાસન તેમજ કામ કરવાનાં વચન આપે છે. પણ ચૂંટણી પછી કોઈ જ ડોકાતું નથી. સરકારી ચોપડે જાણે કે, આ ગામ હોય જ નહી તેમ વહીવટીતંત્ર પણ કોઈ ફરિયાદ સાંભળતું નથી. આ ગામના ખેડૂતો ચલો મોરબી કે ચલો ગાંધીનગરની કૂચ કરી તેમની રજૂઆત કરવાનું વિચારી રહેલ છે. સંસદ કે ધારાસભ્ય પણ ધારે તો પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવીને લોકોની અવરજવર માટે નદી ઉપર પુલ બનાવીને લોકોનો પ્રશ્ન ઉકેલી શકે તેમ છે. પરંતુ તે કામ કરતાં નથી અને વહીવટીતંત્ર લોકોની વાત અને વ્યથાને સાંભળીને કોઈ કાર્યવાહી કરતું નથી. જેથી ગામના લોકો હેરાન છે.






Latest News