લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !


SHARE

















મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !

મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ આજની તારીખે પણ ખેતી આધારિત ગામ છે અને આઝાદીના 78 વર્ષ પછી પણ આ ગામના લોકો અને ખેડૂતોની વ્યથા કોઈ સાંભળતું નથી અને નદીના બીજા કાંઠે ખેડૂતોની જમીન આવેલ હોય ચોમાસામાં નદીમાં પાણી આવી ગયા પછી ખેડૂતો ખેતી કરી શકતા નથી જેથી કરીને નદી ઉપર પુલ બનાવવાની વર્ષોથી માંગ કરવામાં આવે છે જો કે, ખેતી આધારિત ગામ હોવા છતાં પણ ખેડૂતોનો પ્રશ્ન ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્ય કે સ્થાનિક પ્રતિનિધિ કે પછી વહીવટી તંત્ર દ્વારા કેમ ઉકેલવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે.

રામપર (પાડાબેકર) ગામના ખેડૂતોની મોટાભાગની જમીન નદીના સામાકાંઠે હોવાથી ચોમાસામાં ખેડૂતો તેમના ખેતરોમાં જઈ શકતા નથી, ચોમાસુ ખેતી પણ થઈ શકતી નથી, આગોતરી ખેતી કરી વળતર લઈ શકાતું નથી, માત્ર શિયાળુ ખેતી એટલે કે પાસ્તરનું જ વાવેતર થાય છે. આ બાબતે ખેડૂતોએ નદી ઉપર પુલ બાંધવા વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ ઉપર ભગવાન અને નીચે સરકાર કે વહીવટી તંત્ર ગામના લોકો કે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. જેથી ખેતીની પૂરતી આવક ન થતાં ખેડૂતોની દશા બેહાલ થઈ રહી છે. અને ચૂંટણી સમયે નેતાઓ વાત સાંભળી આશ્રવાસન તેમજ કામ કરવાનાં વચન આપે છે. પણ ચૂંટણી પછી કોઈ જ ડોકાતું નથી. સરકારી ચોપડે જાણે કે, આ ગામ હોય જ નહી તેમ વહીવટીતંત્ર પણ કોઈ ફરિયાદ સાંભળતું નથી. આ ગામના ખેડૂતો ચલો મોરબી કે ચલો ગાંધીનગરની કૂચ કરી તેમની રજૂઆત કરવાનું વિચારી રહેલ છે. સંસદ કે ધારાસભ્ય પણ ધારે તો પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવીને લોકોની અવરજવર માટે નદી ઉપર પુલ બનાવીને લોકોનો પ્રશ્ન ઉકેલી શકે તેમ છે. પરંતુ તે કામ કરતાં નથી અને વહીવટીતંત્ર લોકોની વાત અને વ્યથાને સાંભળીને કોઈ કાર્યવાહી કરતું નથી. જેથી ગામના લોકો હેરાન છે.




Latest News