મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !


SHARE













મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !

મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ આજની તારીખે પણ ખેતી આધારિત ગામ છે અને આઝાદીના 78 વર્ષ પછી પણ આ ગામના લોકો અને ખેડૂતોની વ્યથા કોઈ સાંભળતું નથી અને નદીના બીજા કાંઠે ખેડૂતોની જમીન આવેલ હોય ચોમાસામાં નદીમાં પાણી આવી ગયા પછી ખેડૂતો ખેતી કરી શકતા નથી જેથી કરીને નદી ઉપર પુલ બનાવવાની વર્ષોથી માંગ કરવામાં આવે છે જો કે, ખેતી આધારિત ગામ હોવા છતાં પણ ખેડૂતોનો પ્રશ્ન ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્ય કે સ્થાનિક પ્રતિનિધિ કે પછી વહીવટી તંત્ર દ્વારા કેમ ઉકેલવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે.

રામપર (પાડાબેકર) ગામના ખેડૂતોની મોટાભાગની જમીન નદીના સામાકાંઠે હોવાથી ચોમાસામાં ખેડૂતો તેમના ખેતરોમાં જઈ શકતા નથી, ચોમાસુ ખેતી પણ થઈ શકતી નથી, આગોતરી ખેતી કરી વળતર લઈ શકાતું નથી, માત્ર શિયાળુ ખેતી એટલે કે પાસ્તરનું જ વાવેતર થાય છે. આ બાબતે ખેડૂતોએ નદી ઉપર પુલ બાંધવા વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ ઉપર ભગવાન અને નીચે સરકાર કે વહીવટી તંત્ર ગામના લોકો કે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. જેથી ખેતીની પૂરતી આવક ન થતાં ખેડૂતોની દશા બેહાલ થઈ રહી છે. અને ચૂંટણી સમયે નેતાઓ વાત સાંભળી આશ્રવાસન તેમજ કામ કરવાનાં વચન આપે છે. પણ ચૂંટણી પછી કોઈ જ ડોકાતું નથી. સરકારી ચોપડે જાણે કે, આ ગામ હોય જ નહી તેમ વહીવટીતંત્ર પણ કોઈ ફરિયાદ સાંભળતું નથી. આ ગામના ખેડૂતો ચલો મોરબી કે ચલો ગાંધીનગરની કૂચ કરી તેમની રજૂઆત કરવાનું વિચારી રહેલ છે. સંસદ કે ધારાસભ્ય પણ ધારે તો પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવીને લોકોની અવરજવર માટે નદી ઉપર પુલ બનાવીને લોકોનો પ્રશ્ન ઉકેલી શકે તેમ છે. પરંતુ તે કામ કરતાં નથી અને વહીવટીતંત્ર લોકોની વાત અને વ્યથાને સાંભળીને કોઈ કાર્યવાહી કરતું નથી. જેથી ગામના લોકો હેરાન છે.




Latest News