મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ: ઢોલ,નગારા અને ત્રાસા સાથે દુંદાળા દેવનું આગમન


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ: ઢોલ,નગારા અને ત્રાસા સાથે દુંદાળા દેવનું આગમન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવ નો શુભારંભ થયો. કોલેજના ટ્રસ્ટીશ્રી દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી  આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજના તમામ પ્રાધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓની ઉપસ્થિતિમાં ઢોલ,નગારા અને ત્રાસા સાથે ગણપતિ મહારાજનું ભવ્ય અને ભાવભર્યું આગમન થયું તેમજ કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ગણપતિ મહારાજ નું સામૈયું કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા કોલેજના રંગભવન માં  ગણપતિ મહારાજની સ્થાપના વિધિ પરિપૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ કોલેજના ૫૧ વિધાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફે પરંપરાગત પોશાક એટલે કે ધોતી-કુર્તા માં ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આ સમગ્ર કાર્યક્રમ માં કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજ ના સ્ટાફગણ તથા ખુબ જ મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા.






Latest News