મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ


SHARE









મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ

દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા ૨૩ વર્ષની સુશાસનની સફરના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે જિલ્લા પંચાયત ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ અને વિકાસ સપ્તાહની ઉજવણીના અનુસંધાને યુવા મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ આંતરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે શિક્ષણની સાથે મૂલ્ય શિક્ષણને પણ મહત્વ આપ્યું છે ત્યારે દીકરીઓ જીવનમાં આદર્શ મૂલ્યો સાથે કારકિર્દી બનાવે તે માટે ઉપસ્થિત દીકરીઓને પ્રેરણા આપી હતી. વધુમાં તેમણે દેશના વિકાસમાં યોગદાન આપી મહિલાઓને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ જણાવ્યું હતું કે, આપણો દેશ સદીઓથી નારી પ્રધાન દેશ રહ્યો છે. અહીં નારીને શક્તિનું રૂપ ગણી તેમનું પૂજન કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતીય સમાનતા માટે બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર આપી દીકરીઓના વિકાસ માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વ્હાલી દીકરી યોજનાથી આજે સરકાર દીકરીઓના ભણતરથી લઈ લગ્નની ચિંતા પણ કરે છે. આમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજ જીવનની ખૂબ ચિંતા કરી છે.

મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના ગુજરાતમાં થયેલા વિકાસની વાત કરતા તેમણે સાબરમતી નદીની જે કાયાપલટ થઈ અને આજે કેવી રીતે એ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું તે અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું. મહિલાને કુટુંબનો પાયો ગણાવી કેવી રીતે મહિલા બાળકનું ઘડતર કરી ભવિષ્યના આદર્શ નાગરિકનું નિર્માણ કરે છે તે અંગે વાત કરી હતી. ત્યાર બાદ લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.






Latest News