મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ નજીક ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે પડી જવાથી માથું રોડમાં અથડાતાં આધેડ મહિલાનું મોત


SHARE











મોરબીના નાગડાવાસ નજીક ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે પડી જવાથી માથું રોડમાં અથડાતાં આધેડ મહિલાનું મોત

મોરબીના નાગડાવાસ ગામ પાસે રસ્તા ઉપરના ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે આધેડ મહિલા રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં ઇજા થઈ હતી અને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ બાદ મૃતકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે વેલકમ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શાંતાબેન દલસુખભાઈ તડવી (53) નામના મહિલા મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નાગડાવાસ ગામ પાસેથી ડિવાઇડર ઉપરથી રોડ ઉપર નીચે ઉતારી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે તે નીચે પડ્યા હતા અને ત્યારે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી માથામાંથી લોહી નીકળી જવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક મહિલા અસ્થિર મગજના હોય તેવો છેલ્લા ત્રણેક દિવસથી રફાળેશ્વર ગામે જ્યાં રહેતા હતા ત્યાંથી નીકળી ગયા હતા અને તેના પરિવારજનો તે મહિલાને શોધી રહ્યા હતા દરમિયાન નગડાવાસ પાસે રોડ વચ્ચેના ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે તેઓ પડી જતા રસ્તા તેમનું માથું અથડાયું હતું જેથી તેને માથામાં ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું જે અંગેની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ પેંટાગોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કૈલાશ હઠેસિંગ (27) નામનો યુવાન પાવળીયારી પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી નીચે પડતા તેને માથામાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા પીન્ટુ કિશોરભાઈ દેલવાડીયા (32) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

દવા પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગૌશાળા નજીક રહેતા જગદીશભાઈ રામજીભાઈ કૈલા (48) નામના યુવાને કોઈ કારણસર દવા પી લેતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.






Latest News