મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પીવાનું પાણી સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરાઈ મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ મોરબી મહાપાલિકાનું 1132.38 કરોડનું બજેટ મંજૂર: શહેરમાં 9 મુખ્ય રસ્તા- 6 તળાવનું કરાશે બ્યુટીફીકેશન, 24 સર્કલના નવીનીકરણનું આયોજન મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ
Breaking news
Morbi Today

મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના શ્રી થરી માહેશ્વરી સમાજ દ્વારા સર્વેપિતૃ મોક્ષાર્થે તા.૬-૧૧ ને શનિવારથી વૃંદાવન ધામ શક્તિ પ્લોટ મેઈન રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી પુ. રણછોડભાઈ આચાર્ય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી ચાલશે.ભાગવત સપ્તાહ દરમિયાન ગોવર્ધન પૂજા, નૃસિંહ અવતાર સહિતના પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત આવતી કાલ તા. ૧૧-૧૧-૨૧ ના રોજ ગુરૂવારે સાંજે અમિત ભરતભાઈ આસનાની અને માનસીબેન પ્રદીપભાઈ કેલાના શુભલગ્ન યોજાનાર છે.તદ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેવા ભજન સંધ્યા, મહિલા મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યકમોની ભવ્ય ઉજવણી કરાઈ હતી.તા.૧૦ ના રોજ પ્રેમલ દફતરીની સંગીત સંધ્યા યોજાશે અને તા.૧૧ ના રોજ ભાવનગરના કલાકાર ધરમ વંકાણી દ્વારા હસાયરાનો કાર્યક્રમ યોજાનાર છે તેમ આયોજકોએ જણાવેલ છે.




Latest News