મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના શ્રી થરી માહેશ્વરી સમાજ દ્વારા સર્વેપિતૃ મોક્ષાર્થે તા.૬-૧૧ ને શનિવારથી વૃંદાવન ધામ શક્તિ પ્લોટ મેઈન રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી પુ. રણછોડભાઈ આચાર્ય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી ચાલશે.ભાગવત સપ્તાહ દરમિયાન ગોવર્ધન પૂજા, નૃસિંહ અવતાર સહિતના પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત આવતી કાલ તા. ૧૧-૧૧-૨૧ ના રોજ ગુરૂવારે સાંજે અમિત ભરતભાઈ આસનાની અને માનસીબેન પ્રદીપભાઈ કેલાના શુભલગ્ન યોજાનાર છે.તદ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેવા ભજન સંધ્યા, મહિલા મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યકમોની ભવ્ય ઉજવણી કરાઈ હતી.તા.૧૦ ના રોજ પ્રેમલ દફતરીની સંગીત સંધ્યા યોજાશે અને તા.૧૧ ના રોજ ભાવનગરના કલાકાર ધરમ વંકાણી દ્વારા હસાયરાનો કાર્યક્રમ યોજાનાર છે તેમ આયોજકોએ જણાવેલ છે.






Latest News