ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આજે મોરબી જિલ્લા ભાજપનું વિરાટ સ્નેહ મિલન યોજાશે


SHARE







રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આજે મોરબી જિલ્લા ભાજપનું વિરાટ સ્નેહ મિલન યોજાશે

મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આજે સાંજે મુખ્યમંત્રીની હાજરીમાં મોરબી ખાતે ભાજપ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સાંસદો, ધારાસભ્યો, માજી ધારાસભ્યોએ સહિતના આગેવાનો હાજર રહેવાના છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડીની આગેવાની હેઠળ મોરબી જિલ્લાની અંદર ભાજપ પરિવારનુ આજે સાંજે સ્નેહમિલન રાખવામાં આવ્યું છે અને મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કંપની સામે આવેલ જે.પી. ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા અને પૂનમબેન માડમ, જયંતિભાઈ ક્વાડિયા, કૃભકોના ડાયરેક્ટર મગનભાઇ વડાવિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, ટંકારાના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે આ કાર્યક્ર્મમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાથી લગભગ ૫૦૦૦થી વધુ લોકો હાજર રહે તેવી તૈયારીઓ ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવી છે






Latest News