તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઘાયલ થયેલા 100 થી વધુ પક્ષીઓમાંથી 20 જેટલા પક્ષીઓના મોત: મહિકા પાસે પતંગની દોરીથી ઘાયલ થયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસે પતંગ દોરાના કારણે અંદાજે 100 થી વધુ પક્ષીઓ ઘાયલ થયો હોવાથી તેને સારવાર માટે સરકારી તથા ખાનગી સેન્ટરો ઉપર લઈ જવામાં આવ્યા હતા જેમાંથી 20 થી વધુ પક્ષીઓના મોત થયા છે અને વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસેથી બાઈક લઈને પસાર થયેલા યુવાનના ગળાના ભાગે દોરી વડે ગંભીર ઇજા થઈ હોવાથી 108 માં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા છે

મકરસંક્રાંતિના દિવસે ખુલ્લા આકાશમાં પતંગો ચગાવીને તેમજ એકમેકની પતંગો કાપીને લોકો આનંદ મેળવતા હોય છે ત્યારે પતંગની દોરીઓના કારણે ઘણી વખત જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે અને અગાઉ પતંગની દોરીને કારણે જુદી જુદી જગ્યા ઉપર કેટલાક લોકોના મોત નિપજ્યા છે તેવી ઘટનાઓ પણ બની ચૂકી છે તેમ છતાં પણ ચાઈનીઝ દોરી સહિતની ઘાતક કહી શકાય તેવી દોરીઓનો ઉપયોગ કરવાનુ પતંગ બાજો ટાળતા નથી તે હકીકત છે.

તેવામાં આજે મોરબી જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ ઉપર અબોલ જીવ પતંગની દોરીથી ઘાયલ થાય તો તેને સારવાર આપવા માટે થઈને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર તેમજ કરુણા હેલ્પલાઇન અંતર્ગત અબોલ જીવની સારવાર કરવામાં આવી રહી હતી ત્યારે સવારથી લઈને મોડી સાંજ સુધીમાં મોરબી જિલ્લામાં કુલ મળીને 100 થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હોવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકીના 20 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે.

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પારસિંગ મનજીભાઈ નામનો યુવાન બાઈક લઈને સજનપર ગામથી ચોટીલા જઈ રહ્યો હતો દરમ્યાન વાંકાનેરના મહીકા ગામ પાસે તેના ગળાના ભાગ ઉપર પતંગનો દોરો ફસાયો હતો જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારબાદ તે ઈજાગ્રસ્ત યુવાનને 108 મારફતે સારવાર આપી હતી અને વધુ સારવાર માટે તેને મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા છે






Latest News