મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

હળવદના ઇંગોરાળા નજીકથી જાહેરમાં સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળવા મામલે આરોગ્ય આધિકારીએ કર્યો તપાસનો આદેશ


SHARE









હળવદના ઇંગોરાળા નજીકથી જાહેરમાં સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળવા મામલે આરોગ્ય આધિકારીએ કર્યો તપાસનો આદેશ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામ વચ્ચેથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવ્યા હતા જે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને આ બનાવમાં જે કોઈ દોષિત હોય તેની સામે આકરા પગલાં લેવાની કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી છે

રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અને છેવાડાના લોકો સુધી આરોગ્યની સારી સુવિધાઓ મળે તેના માટે તેને સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની દવાઓ ખરીદી કરીને આરોગ્ય સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્યતંત્રની બેદરકારીને કારણે લોકો સુધી દવા પહોંચવાના બદલે સીધી જ કચરામાં પહોંચતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી છે તેવામાં ગઈકાલે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામની વચ્ચેથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવ્યા હતા જેથી કરીને આ અંગે હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કંજારિયા દ્વારા આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સ્થળ ઉપર આરોગ્ય વિભાગના અધિકારીની ટીમ પહોંચી હતી અને આ બાબતે આજે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સંજયભાઇ શાહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતે તપાસ કરવા માટે થઈને આદેશ આપ્યો છે અને તપાસ નો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે જોકે આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકોને મળવી જોઈએ તે દવા જાહેરમાં કચરામાં ફેંકી દેવામાં આવેલ હોય આવી ગંભીર બેદરકારી અને બીજા લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી બેદરકારી દાખવનારા અધિકારી અને કર્મચારી સામે આકરા પગલા લેવા જોઈએ તો જ આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવી શકાશે.






Latest News