મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના ઇંગોરાળા નજીકથી જાહેરમાં સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળવા મામલે આરોગ્ય આધિકારીએ કર્યો તપાસનો આદેશ


SHARE











હળવદના ઇંગોરાળા નજીકથી જાહેરમાં સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળવા મામલે આરોગ્ય આધિકારીએ કર્યો તપાસનો આદેશ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામ વચ્ચેથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવ્યા હતા જે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને આ બનાવમાં જે કોઈ દોષિત હોય તેની સામે આકરા પગલાં લેવાની કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી છે

રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અને છેવાડાના લોકો સુધી આરોગ્યની સારી સુવિધાઓ મળે તેના માટે તેને સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની દવાઓ ખરીદી કરીને આરોગ્ય સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્યતંત્રની બેદરકારીને કારણે લોકો સુધી દવા પહોંચવાના બદલે સીધી જ કચરામાં પહોંચતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી છે તેવામાં ગઈકાલે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામની વચ્ચેથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવ્યા હતા જેથી કરીને આ અંગે હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કંજારિયા દ્વારા આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સ્થળ ઉપર આરોગ્ય વિભાગના અધિકારીની ટીમ પહોંચી હતી અને આ બાબતે આજે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સંજયભાઇ શાહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતે તપાસ કરવા માટે થઈને આદેશ આપ્યો છે અને તપાસ નો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે જોકે આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકોને મળવી જોઈએ તે દવા જાહેરમાં કચરામાં ફેંકી દેવામાં આવેલ હોય આવી ગંભીર બેદરકારી અને બીજા લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી બેદરકારી દાખવનારા અધિકારી અને કર્મચારી સામે આકરા પગલા લેવા જોઈએ તો જ આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવી શકાશે.






Latest News