મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા પ્રભારી રઘુ શર્માની સૂચના અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક તથા જનજાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આવનારા દિવસોમાં રાજ્યની અને કેન્દ્રની ભ્રષ્ટ ભાજપા સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે જેની સામે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા અવાજ ઉઠાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરશે.કાર્યક્રમ દરમ્યાનમાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે શહેરના સરા નાકા પાસે સરકાર દ્વારા ત્રણ કાળા કૃષી કાયદા રદ કરવામાં આવ્યા તેની ખુશાલીમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી.

તેમજ સર્વાનુમતે છ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.જેમા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોને પોતાની જણસોનો પુરતો ભાવ આપવામાં આવે, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગામડાઓમાં ખરાબ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવે અને આરોગ્ય સુવિધા વધારવામાં આવે, ઉનાળામાં થયેલ કમોસમી વરસાદના લીધે મીઠું પકવતા અગરીયાઓને થયેલ નુકશાનની તાત્કાલિક સહાય ચુકવવામાં આવે, કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવે અને કથડતા શિક્ષણનું સ્તર સુધારવામાં આવે અને ખાનગીકરણ ઉપર અંકુશ લગાવવામાં આવે તેવા લોકહીતના ઠરાવો કરવામાં આવ્યા હતા.






Latest News