મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા પ્રભારી રઘુ શર્માની સૂચના અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક તથા જનજાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આવનારા દિવસોમાં રાજ્યની અને કેન્દ્રની ભ્રષ્ટ ભાજપા સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે જેની સામે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા અવાજ ઉઠાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરશે.કાર્યક્રમ દરમ્યાનમાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે શહેરના સરા નાકા પાસે સરકાર દ્વારા ત્રણ કાળા કૃષી કાયદા રદ કરવામાં આવ્યા તેની ખુશાલીમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી.

તેમજ સર્વાનુમતે છ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.જેમા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોને પોતાની જણસોનો પુરતો ભાવ આપવામાં આવે, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગામડાઓમાં ખરાબ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવે અને આરોગ્ય સુવિધા વધારવામાં આવે, ઉનાળામાં થયેલ કમોસમી વરસાદના લીધે મીઠું પકવતા અગરીયાઓને થયેલ નુકશાનની તાત્કાલિક સહાય ચુકવવામાં આવે, કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવે અને કથડતા શિક્ષણનું સ્તર સુધારવામાં આવે અને ખાનગીકરણ ઉપર અંકુશ લગાવવામાં આવે તેવા લોકહીતના ઠરાવો કરવામાં આવ્યા હતા.






Latest News