મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવાએ કર્યું 49 મી વખત રક્તદાન
SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવાએ કર્યું 49 મી વખત રક્તદાન
મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના સ્વ. દીકરા પ્રશાંત મેરજાની 17મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા મેડિકલ કેમ્પ અંતર્ગત 13 એપ્રિલના રોજ GMERS સિવિલ હોસ્પિટલ- મોરબીના જરૂરિયાત મંદ લોકોની અને દર્દીઓની સેવા અર્થે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી. સરડવાએ 49 મી વખત રક્તદાન કર્યું હતું અને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી અને "રક્તદાન એ જ મહાદાન..." રક્તદાન કરીએ મહામૂલ્યવાન માનવ જિવન બચાવીએ" એ ઉક્તિ ને સાર્થક કરી બતાવી છે. થોડા દિવસો અગાઉ પણ મણીલાલ વી.સરડવાએ પોતાના પૌત્રના જન્મદિવસ નિમિત્તે પણ રક્તદાન કર્યું હતું. અને તેઓએ 51 વખત રક્તદાન કરવાનો સંકલ્પ કરેલ છે.
