મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવાએ કર્યું 49 મી વખત રક્તદાન


SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવાએ કર્યું 49 મી વખત રક્તદાન

મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના સ્વ. દીકરા પ્રશાંત મેરજાની 17મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે  ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા મેડિકલ કેમ્પ અંતર્ગત 13 એપ્રિલના રોજ GMERS  સિવિલ હોસ્પિટલ- મોરબીના જરૂરિયાત મંદ લોકોની અને દર્દીઓની સેવા અર્થે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રોટરીગ્રામ  (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી. સરડવાએ 49 મી વખત રક્તદાન કર્યું હતું અને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી અને "રક્તદાન એ જ મહાદાન..." રક્તદાન કરીએ મહામૂલ્યવાન માનવ જિવન બચાવીએ" એ  ઉક્તિ ને સાર્થક કરી બતાવી છે. થોડા દિવસો  અગાઉ પણ મણીલાલ વી.સરડવાએ પોતાના પૌત્રના જન્મદિવસ નિમિત્તે પણ રક્તદાન કર્યું હતું. અને તેઓએ 51 વખત રક્તદાન કરવાનો સંકલ્પ કરેલ છે.






Latest News