ટંકારાના ઘુનડા (સ.) નજીક ત્યજી દેવાયેલ બાળકના માતા-પિતા નક્કી કરવા માટે DNA સેમ્પલ લેવાયા: દંપતી જમીન મુક્ત-બાળક રાજકોટની સંસ્થામાં મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા જાહેર રજામાં પણ કાર્યરત ! મોરબીમાં મહેન્દ્રનગરથી માળિયા ફાટક ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર બંધ કરવા આપની માંગ ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન યોજાશે મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજાઇ લાલચ-ધમકી આપીને લીધા અંગૂઠાના નિશાન: મોરબીના 602 જમીન કૌભાંડમાં મહિલા આરોપીએ  હાઇકોર્ટમા કર્યું સ્ફોટક સોગંદનામું આયુષ હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સર્જરી વડે સફળ સારવાર મોરબીમાં નવો ડી.પી, બાંધકામ મંજૂરી સહિતના પ્રશ્નોને લઈને બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સના હોદેદારોએ ધારાસભ્યની આગેવાનીમાં સીએમને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારી સબબ સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત


SHARE















મોરબીમાં બીમારી સબબ સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બીમારી સબબ વૃદ્ધને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે મૃતકના વાલી વારસને શોધીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા મનહરભાઈ ત્રિભુવનભાઈ ચારોલા (74) નામના વૃદ્ધને ગત તા. 11/ના બપોરના સમયે બીમારી માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને આઇસીયુમાં તેઓને સ્વિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, આ વૃદ્ધને સારવાર માટે જે લઈને આવ્યા હતા તે ત્યાંથી જતાં રહ્યા હતા જેથી આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા અને તેની ટીમે મૃતકના વાલી વરસને શોધીને બોડીને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીઝલ પી જતાં સારવારમાં

મોરબીના લાતી પ્લોટ શેરી નં- માં આવેલ જય બજરંગ નામના કોથળાના કારખાનામાં દિનેશ મૂળજીભાઈ ચાવડા (15) નામનો તરુણ ભૂલથી ડીઝલ પી જતાં તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મસાલાની વાડી ખાતે રહેતા દેવજીભાઈ ખોડીદાસભાઇ કંઝારિયા (39) નામનો યુવાન ગોર ખીજડીયા પાસેથી નાની વાવડી ચોકડી તરફ બાઈક લઈને આવી રહ્યો હતો દરમિયાન મસ્જિદ પાસે બાઈક સહિત રસ્તા પર પડી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા ચંચીબેન મગનભાઈ ભોરણીયા (65) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા એસટી ડેપો સામેથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે બાઈક ક્લિક થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવારમાં ખસેડાયા હતા અને બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News