મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ


SHARE











મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ

મહામુલી જીંદગીને મોતના ખપ્પરમાં હોમાતી બચાવવા માટે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલા મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા સામાજીક કાર્યકરોએ અપીલ કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચા વિગેરેએ કલેકટર તેમજ મહાપાલીકાના કમીશ્નરને લેખીત રજૂઆત કરેલ છે કે, મોરબીમાં મચ્છુ-૩ ડેમ ઉપર અવાર-નવાર નદીમાં ઝંપલાવીને આપધાતના બનાવો બનતા હોવાથી ચિંતાજનક પરીસ્થીતી સર્જાઈ છે.આ સંદર્ભે મોરબીના જાગૃત સામાજીક કાર્યકરોએ મોરબી મહાનગરપાલીકા કમીશ્નર તથા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી છે.જો મહાનગરપાલીકા નાલા આડા પતરા મુકી શકતી હોય તો ડેમ ઉપર બનાવેલ પારાપેટ ઉપર પતરા અથવા મયુરપુલની માફક પોલ ગોઠવી તેમાં લોખંડની જાળી અથવા ઉંચી દિવાલ કરવાથી અનેક લોકોના જીવ બચાવી શકશે અને નિર્દોષ લોકોને મોતના મુખમાં જતા બચાવી શકાશે.મનુષ્ય અવતાર એક જ વખત મળે છે ફરીને મનુષ્ય અવતર મળતો નથી.તો આ મોંઘેરો અવતાર વડેફાઈ નહીં તે માટે અહીંયા તાત્કાલીક લોખંડની ઝારી અથવા પીલોર ઉભા કરવા અથવા પતરા નાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.આપધાતથી કોઈ બહેન તો કોઈ દીકરી પોતાના સહારો ગુમાવે છે. કોઈ પત્ની વિધવા બને છે કોઇ સંતાન પિતાની છત્રછાયા ગુમાવે છે. સમાજને ઝંઝોડનારી આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલીક જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ પુલ ઉપર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News