વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ


SHARE











મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ

મહામુલી જીંદગીને મોતના ખપ્પરમાં હોમાતી બચાવવા માટે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલા મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા સામાજીક કાર્યકરોએ અપીલ કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચા વિગેરેએ કલેકટર તેમજ મહાપાલીકાના કમીશ્નરને લેખીત રજૂઆત કરેલ છે કે, મોરબીમાં મચ્છુ-૩ ડેમ ઉપર અવાર-નવાર નદીમાં ઝંપલાવીને આપધાતના બનાવો બનતા હોવાથી ચિંતાજનક પરીસ્થીતી સર્જાઈ છે.આ સંદર્ભે મોરબીના જાગૃત સામાજીક કાર્યકરોએ મોરબી મહાનગરપાલીકા કમીશ્નર તથા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી છે.જો મહાનગરપાલીકા નાલા આડા પતરા મુકી શકતી હોય તો ડેમ ઉપર બનાવેલ પારાપેટ ઉપર પતરા અથવા મયુરપુલની માફક પોલ ગોઠવી તેમાં લોખંડની જાળી અથવા ઉંચી દિવાલ કરવાથી અનેક લોકોના જીવ બચાવી શકશે અને નિર્દોષ લોકોને મોતના મુખમાં જતા બચાવી શકાશે.મનુષ્ય અવતાર એક જ વખત મળે છે ફરીને મનુષ્ય અવતર મળતો નથી.તો આ મોંઘેરો અવતાર વડેફાઈ નહીં તે માટે અહીંયા તાત્કાલીક લોખંડની ઝારી અથવા પીલોર ઉભા કરવા અથવા પતરા નાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.આપધાતથી કોઈ બહેન તો કોઈ દીકરી પોતાના સહારો ગુમાવે છે. કોઈ પત્ની વિધવા બને છે કોઇ સંતાન પિતાની છત્રછાયા ગુમાવે છે. સમાજને ઝંઝોડનારી આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલીક જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ પુલ ઉપર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News