તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.


SHARE











મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.

મોરબીના જેતપર રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો ખોખરા રોડને સીસી રોડ બનાવીને નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવેને જોડવામાં આવે તો ઉદ્યોગકારો સહિતનાઓને રાહત થાય તેમ હતી જેથી ધારાસભ્ય મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યાર બાદ રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને બેલાથી ભરતનગર ખોખરા હનુમાન સીસી રોડના કામ માટેની ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર આપી દીધેલ છે. 

મોરબીના જેતપર રોડ ઉપર સિરામિકના ઘણા કારખાના આવેલ છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોની અવાર જવર પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે ટ્રાફિક સહિતની સમસ્યામાંથી મુકિત મળે તેના માટે ખોખરા રોડને સીસી રોડ બનાવવામાં આવે અને બેલથી ભરતનગર સુધીનો રોડ બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લાના ધારાસભ્યો મારફતે મોરબીના સિરામિક એસો. દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. અને સરકારે આ કામને તાત્કાલિક મંજૂર કરી આપ્યું હતું. ત્યાર બાદ બેલાથી ભરતનગર સુધીનો ખોખરા હનુમાન રોડ સીસી રોડ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આ કામનો મધુરમ કન્સ્ટ્રક્શન ઈન્ડિયા લિમિટેડ નામની એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે જેથી એજન્સી દ્વારા ટૂંક સમયમાં આ રોડ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવશે આ રોડ બની જવાથી ઉદ્યોગને ફાયદો થશે તેની સાથોસાથ ખોખરા હનુમાન મંદિરે આવતા શ્રાદ્ધળુઓને પણ સગવડ મળશે તેવી લાગણી મોરબીના સિરામિક એસો.ના આગેવાનોએ વ્યક્ત કરી છે. અને રોડનું કામ ઝડપથી મંજૂર કરાવવા બદલ ખોખરા રોડ અને જેતપર રોડના ઉદ્યોગકારો વતી મોરબી સીરામીક એસી.ના પ્રમુખોએ રાજ્ય સરકાર તથા મોરબી જિલ્લાના ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે






Latest News