મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.


SHARE











મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.

મોરબીના જેતપર રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો ખોખરા રોડને સીસી રોડ બનાવીને નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવેને જોડવામાં આવે તો ઉદ્યોગકારો સહિતનાઓને રાહત થાય તેમ હતી જેથી ધારાસભ્ય મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યાર બાદ રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને બેલાથી ભરતનગર ખોખરા હનુમાન સીસી રોડના કામ માટેની ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર આપી દીધેલ છે. 

મોરબીના જેતપર રોડ ઉપર સિરામિકના ઘણા કારખાના આવેલ છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોની અવાર જવર પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે ટ્રાફિક સહિતની સમસ્યામાંથી મુકિત મળે તેના માટે ખોખરા રોડને સીસી રોડ બનાવવામાં આવે અને બેલથી ભરતનગર સુધીનો રોડ બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લાના ધારાસભ્યો મારફતે મોરબીના સિરામિક એસો. દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. અને સરકારે આ કામને તાત્કાલિક મંજૂર કરી આપ્યું હતું. ત્યાર બાદ બેલાથી ભરતનગર સુધીનો ખોખરા હનુમાન રોડ સીસી રોડ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આ કામનો મધુરમ કન્સ્ટ્રક્શન ઈન્ડિયા લિમિટેડ નામની એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે જેથી એજન્સી દ્વારા ટૂંક સમયમાં આ રોડ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવશે આ રોડ બની જવાથી ઉદ્યોગને ફાયદો થશે તેની સાથોસાથ ખોખરા હનુમાન મંદિરે આવતા શ્રાદ્ધળુઓને પણ સગવડ મળશે તેવી લાગણી મોરબીના સિરામિક એસો.ના આગેવાનોએ વ્યક્ત કરી છે. અને રોડનું કામ ઝડપથી મંજૂર કરાવવા બદલ ખોખરા રોડ અને જેતપર રોડના ઉદ્યોગકારો વતી મોરબી સીરામીક એસી.ના પ્રમુખોએ રાજ્ય સરકાર તથા મોરબી જિલ્લાના ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે






Latest News