મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી
SHARE







વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી
વાંકાનેરમાં નદી પર પુલના પડતર પ્રશ્ર્ન બાબતે વાંકાનેર પાલીકાના વહિવટદાર સમયમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા તેમજ શહેર ભાજપ સંગઠન દ્રારા રજુઆત કરવામાં આવેલ હતી. અને ઘણા લાંબા સમય બાદ આ પુલ અંગે કોઈપણ કાર્યવાહી ન થતા વાંકાનેર રાજવી અને હાલના રાજયસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્રારા શહેરી વિકાસ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને મચ્છુ નદીના પુલની મ્યુનિસિપલ કમિશ્ર્નર જાનીભાઈ દ્રારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને વાંકાનેર મહારાણા તેમજ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમજ શહેર ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા અને વહેલી તકે પુલ બનાવવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશ્ર્નરે જણાવ્યુ હતુ.
