મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીએ 1 વર્ષેની સજા, બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE













મોરબી કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીએ 1 વર્ષેની સજા, બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપી અજય ખાડેપાવને એક વર્ષેની સજા અને ચેકની રકમથી બમણી રકમ વ્યાજ સહિત ફરીયાદીને ચુકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ ફરીયાદી રાજન જંયતીલાલ દેથરીયા (ટ્રાયસેલ ઈન્કોપોરેશન) એ વર્ષે ૨૦૧૯ માં અજય ખાડેપાવ (ઈશા સપ્લાયર) ને પી.વી.ફેબ્રિક રોલનો માલ ઉધારમાં વેચ્યો હતો. જેની સામે અજય ખાડેપાવએ ફરીયાદીને ૫,૦૦,૦૦૦ નો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો જેથી ફરીયાદીકાયદેસરની નોટીસ આપી હતી. તેમ છતા સામે વાળાએ રકમ ન ચુકવતા મોરબી કોર્ટેમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં ફરીયાદીને પક્ષે રજુ કરેલા પુરાવાઓ, દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને, મોરબીના મહે.એડિશ્નલ ચીફ જયુડિશિયલ મેજી. સી.વાય. જાડેજા સાહેબે આરોપી અજય ખાડેપાવને એક વર્ષની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તેમજ ફરીયાદી દાખલ કર્યાની તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ જો આરોપી દંડની રકમ અને વ્યાજની રકમ ચુકવવામાં કસુર કરે તો તેને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે સીનીયર એડવોકેટ હરીલાલ એમ. ભોરણીયા તથા જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટીયા તથા અર્જુન ઉભડીયા રોકાયેલ હતા






Latest News