મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ગોરધનભાઈ કુંવરીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચરતી-વિમુક્ત જાતી સેલના વાઈસ ચેરમેન પદે નિયુકતી


SHARE









મોરબીના ગોરધનભાઈ કુંવરીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચરતી-વિમુક્ત જાતી સેલના વાઈસ ચેરમેન પદે નિયુકતી

આગામી સમયમાં ચુંટણીઓ આવી રહી બોય પોતપોતાના પક્ષને મજબુત બનાવવા દરેક પક્ષમાં સક્ષમ આગેવાનોની વિવિધ હોદાઓ ઉપર વરણીઓ કરવામાં આવી રહી છે.ત્યારે મોરબીના ગોરધનભાઈ કુંવરીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચરતી-વિમુક્ત જાતી સેલના વાઈસ ચેરમેન પદે નિયુકતી કરવામાં આવેલ છે.તેઓ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ચેરમેનપદે અને ગુજરાત પ્રદેસ કોંગ્રેસ ઓબીસી સેલમાં મંત્રી તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.

કોંગ્રેસ પક્ષમાં વિવિધ સેલ-સમિતીઓમાં હોદેદારોની નિમણુંકો કરવામાં આવી છે.આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોય પક્ષને મજબુત બનાવના સારા અને સક્ષમ આગેવાનોની હોદાઓ ઉપર નિમણુંકોક રવામાં આવી રહી છે.જે અંતર્ગત ગુજરાત પ્રદેશકક્ષાએથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતી સેલના પ્રમુખ જસવંતભાઈ યોગી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે મોરબીના પીઢ કોંગી આગેવાન ગોરધનભાઈ ભીમજીભાઈ કુંવરિયાની વરણી કરવામાં આવી છે.ગોરધનભાઇ કુંવરીયા જેવા કર્મઠ આગેવાનની પ્રદેશ કક્ષાએ વરણી કરવામાં આવતા મોરબી જિલ્લા કોંગ્રેસ, તાલુકા અને શહેર કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરો દ્રારા તેઓને શુભેચ્છાઓ પાઠવીને તેમની આ વરણીને આવકરવામાં આવી રહી છે.






Latest News