હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો દ્વારા ક્રિષ્ણા વાલ્મિકીની હત્યાના વીરૂધ્ધમા અપાયું આવેદનપત્ર


SHARE











થોડા સમય પહેલા રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની સાગર કુરેશી અને તેની ગેંગના વિધર્મી ગુંડાઓ દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી છે આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા લાઠીચાર્જ કરીને ગંભીર રૂપથી કાર્યકરોને ઘાયલ કરવામાં આવ્યા છે ત્યારે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણામહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, રશીકભાઇ વોરા, જેઠાભાઈ પારઘી, અશોકભાઈ ચાવડા, ગોરધનભાઈ સોલંકી સહિતના સાથે રહ્યા હતા






Latest News