મોરબી : ટંકારા પોલીસ ટોર્ચના અજવાળે જુગાર રમતા પાંચને દબોચ્યા
મોરબીના શ્રી રઘુવંશ યુવક મંડળ દ્રારા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન
SHARE









મોરબીના શ્રી રઘુવંશ યુવક મંડળ દ્રારા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન
મોરબીના શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી સમયમાં શ્રી સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૩-૧૦-૨૧ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાથી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ધો ૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શીલ્ડ-સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આર્પીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
વધુમાં સંસ્થાના પ્રમુખ પ્રશાંતભાઇ સેતાના જણાવ્યા અનુસાર આ કાર્યકમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩-૯ નકકી કરવામાં આવેલ છે માટે મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદીરવાળી શેરી, દરીયાલાલ આલુ ભંડાર નવા ડેલા રોડ, કેવીન ટોસ સેલ્સ એન્ડ સર્વિસ નવા બસ સ્ટેન્ડની સામે આ માટે સંપક કરવો. સન્માન સમારોહ તા.૩-૧૦-૨૧ ને રવિવાર ના રોજ કોવિડના વાતાવરણને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ-મોરબી ખાતે યોજવામાં આવશે.આથી કાયૅકમની રૂપરેખાની જાણ વિર્ધાથીઓને ફોન દ્વારા કરવામાં આવશે તથા વધુ માહીતી માટે પ્રમુખ પ્રશાંતભાઈ સેતા તથા પ્રોજેકટ ચેરમેન ધર્મેશભાઇ ગંદાનો સંર્પક કરવો તેમ રઘુવંશી યુવક મંડળે યાદીમાં જણાવેલ છે.
