તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સુરક્ષા મંડળના પ્રયાસોથી કાર માલીકને અકસ્માત વિમાના ૩.૫૭ લાખનુ વળતર મળ્યુ


SHARE











મોરબીના સુરક્ષા મંડળના પ્રયાસોથી કાર માલીકને અકસ્માત વિમાના ૩.૫૭ લાખનુ વળતર મળ્યુ

મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા અશ્વીનભાઇ ગોકળભાઇ ધરોડીયાનો કાર અકસ્માત વિમો કેઇસ ચોલા મંડળ એમ.એસ. ઇસ્યુરન્સ કંપની સામે કરતાં રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તે કેઇસ ચાલી જતા કાર માલીક અશ્વીનભાઇ ધરોડીયાને ત્રણ લાખ છપન હજાર નવસો ચોસઠ રૂપિયા છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો ફોરમે વિમા કંપમીને આદેશ કરેલ છે.

મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના રહીશ અશ્વીનભાઇ ગોકળભાઇ ધરોડીયાની ગાડીને અકસ્માત થયેલ ચોલા મંડળ એમ.એસ. વીમા કંપની પાસે વીમો ઉતરાવેલ ધ્રાંગધ્રા પાસે કુતરાને બચાવવા જતા અકસ્માત થયેલ વીમા કંપનીએ ગાડીને થયેલ નુકશાન આપવાની ના પાડેલ જેથી રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેઇસ દાખલ કરવામાં આવેલ જેમાં કોર્ટ ગ્રાહક અશ્વીનભાઇ ધરોડીયાને ત્રણ લાખ છપન હજાર નવસો ચોસઠ રૂપિયા કેઇસ દાખલ કરેલ ત્યારથી છ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.સરકારે ગ્રાહકોના હીત માટે ધણાં સારા કાયદા કરેલા છે. પરંતુ ગ્રાહક લાભ લેતા નથી વીમા કંપની સાચા ખોટા કારણો બતાવી ગ્રાહકોને વીમો આપવામાં ઠાગા ઠેયા કરે છે માટે હવે ગ્રાહકે જાગૃતિ લાવવાની જરૂરત છે. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી શકે છે તેમ પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News