માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય


SHARE

















વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં સતત દસ દિવસ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને છેલ્લે દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવ સંપન્ન થયો હતો, અને આજરોજ વાજતે ગાજતે વિઘ્ન હર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે.

વાંકાનેર ટાઉનહોલ ખાતે પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સતત દસ દિવસ અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં  બહોળી સંખ્યામાં ઊમટેલાં ભાવિકોએ ગણેશોત્સવની ઉજવણી કરી હતી ત્યારે ગઈકાલે અંતિમ દિવસે આ ભવ્ય  આયોજન કરવા બદલ  માલધારી સમાજ, કોળી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ફૂલહાર કરી શાલ ઓઢાડી તલવાર અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે ઉપસ્થિત જનમેદનીએ પણ તાળીઓનાં ગડગડાટથી પ્રજાવત્સલ જીતુભાઈ સોમાણીને બિરદાવ્યા હતાં અને આ ભવ્ય ગણેશોત્સવ સંપન્ન થયો હતો, આજરોજ સાંજે જીનપરા ચોકથી વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે અને વડસર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.




Latest News