મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

નામ બડે ઓર દર્શન છોટે !: હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?


SHARE





નામ બડે ઓર દર્શન છોટે !: મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં તોક્તે વાવાઝોડા સમયે મીઠાના અગરમાં મોટા પ્રમાણમા નુકશાન થયું હતું જેથી કરીને મીઠાના કામદાર, અગરીયાઓને વાવાઝોડામાં થયેલા નુકશાનની સામે વળતર આપવાની માંગ કરવામાં આવી હતું જેથી કરીને સર્વે સહિતના નાટકો કરવામાં આવ્યા હતા જો કે, આજ દિવસ સુધી અગરીયનોને સરકાર તરફથી એક રૂપિયાની સહાય આપવામાં આવી નથી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડકની આગેવાનીમાં કલેકટરને આવેદન પત્ર આપીને વળતરની રકમ ચુકવવા માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડક સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આજે કલેકટરને આવેનદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, રાજયમાં જે તોફતે વાવાઝોડુ આવેલ હતું તેના લીધે હળવદ તાલુકાના મીઠું પક્વતા અગરીયાઓને પારાવાર નુકશાન થયેલ હતું અને અગરીયા દ્વારા સરકારમાં રજુઆતો કરતા સરકાર દ્વારા રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવેલ હતી અને સરકારે અગરીયાઓને ૧ (એક) એકર દીઠ રૂપીયા ૩૦૦૦ ની એમ વધુમાં વધુ દસ એકર સુધીની સહાય આપવાની જાહેરાત કરેલ હતી અને જિલ્લા ઉધોગ કચેરી મારફત રાહત પેકેજના ફોર્મ વિતરણ કરીને મીઠું પકવતા અગરીયાઓના મીઠાના ધોવાણ અંગેનો સર્વે હાથ ધરીને તા .૩૧/૭/૨૦૨૧ સુધીમાં અગરીયાઓ મળવાપાત્ર સહાયના આધાર પુરાવાઓ સાથેના ફોર્મ ભરીને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આપી દેવામાં આવ્યા હતા પરંતુ મીઠાના કામદાર અને અગરીયાઓને હજુ સુધી સરકાર દ્વારા કોઈ વળતરની રકમ ચુકવવામાં આવેલ નથી આમ ત્રણ માસ જેટલો સમય થઈ ગયેલ હોવા છતા હજુ સુધી વળતર આપેલ ન હોવાથી અગરીયાઓની હાલત કફોડી બનેલ છે ત્યારે વાવાઝોડાના વળતરની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News