મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

નામ બડે ઓર દર્શન છોટે !: હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?


SHARE











નામ બડે ઓર દર્શન છોટે !: મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં તોક્તે વાવાઝોડા સમયે મીઠાના અગરમાં મોટા પ્રમાણમા નુકશાન થયું હતું જેથી કરીને મીઠાના કામદાર, અગરીયાઓને વાવાઝોડામાં થયેલા નુકશાનની સામે વળતર આપવાની માંગ કરવામાં આવી હતું જેથી કરીને સર્વે સહિતના નાટકો કરવામાં આવ્યા હતા જો કે, આજ દિવસ સુધી અગરીયનોને સરકાર તરફથી એક રૂપિયાની સહાય આપવામાં આવી નથી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડકની આગેવાનીમાં કલેકટરને આવેદન પત્ર આપીને વળતરની રકમ ચુકવવા માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડક સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આજે કલેકટરને આવેનદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, રાજયમાં જે તોફતે વાવાઝોડુ આવેલ હતું તેના લીધે હળવદ તાલુકાના મીઠું પક્વતા અગરીયાઓને પારાવાર નુકશાન થયેલ હતું અને અગરીયા દ્વારા સરકારમાં રજુઆતો કરતા સરકાર દ્વારા રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવેલ હતી અને સરકારે અગરીયાઓને ૧ (એક) એકર દીઠ રૂપીયા ૩૦૦૦ ની એમ વધુમાં વધુ દસ એકર સુધીની સહાય આપવાની જાહેરાત કરેલ હતી અને જિલ્લા ઉધોગ કચેરી મારફત રાહત પેકેજના ફોર્મ વિતરણ કરીને મીઠું પકવતા અગરીયાઓના મીઠાના ધોવાણ અંગેનો સર્વે હાથ ધરીને તા .૩૧/૭/૨૦૨૧ સુધીમાં અગરીયાઓ મળવાપાત્ર સહાયના આધાર પુરાવાઓ સાથેના ફોર્મ ભરીને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આપી દેવામાં આવ્યા હતા પરંતુ મીઠાના કામદાર અને અગરીયાઓને હજુ સુધી સરકાર દ્વારા કોઈ વળતરની રકમ ચુકવવામાં આવેલ નથી આમ ત્રણ માસ જેટલો સમય થઈ ગયેલ હોવા છતા હજુ સુધી વળતર આપેલ ન હોવાથી અગરીયાઓની હાલત કફોડી બનેલ છે ત્યારે વાવાઝોડાના વળતરની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News